શોધખોળ કરો
શું મોદી સરકારની નોટબંધી ફ્લોપ રહી?, જાણો 50 દિવસમાં કેટલી જૂની નોટ થઈ જમા
1/4

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્લૂમબર્ગના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, 500 રૂપિયા અને 1000 રૂપિયાની બંધ કરવામાં આવેલ 97 ટકા નોટ બેંકમાં પાછી આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી હતી. બ્લૂબમર્ગને સૂત્રો દ્વારા મળેલી જાણકારીમાં દાવો કર્યો છે કે, નોટબંધી બાદ બેંકોમાં 30 ડિસેમ્બર સુધી 14.97 લાખ કરોડ રૂપિયા પાછા આવી ગયા છે. સરકારને શરૂઆતમાં અંદાજ હતો કે કુલ ૧૫.૪ લાખ કરોડની ચલણી નોટોમાંથી પાંચ લાખ કરોડ રૂપિયા બેન્કોમાં જમા નહીં થાય અને ટેક્સથી બચવા માટે લોકો આ નાણાં જમા નહીં કરાવે.
2/4

સેન્ટરફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઈ) અનુસાર વિતેલા વર્ષના આખરી ક્વાર્ટરમાં એક લાખ 25 હજાર કરોડ રૂપિયાના રોકાણની દરખાસ્તો મળી હતી જ્યારે મોદી સરકારને આ પહેલા નવ મહિનામાં દર ક્વારટરમાં સરરેાશ બે લાખ 36 હજાર કરોડ રૂપિયાના રોકાણની દરખાસ્તો મળી હતી. એક ઓક્ટોબરથી નોટબંધી પહેલા સુધી કુલ 39 દિવસમાં રોજ 2097 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત થઈ હતી. સીએમઆઈઈ અનુસાર નોટબંધી પહેલાની તુલનામાં રોકાણ દરખાસ્ત સરેરાશ 61 ટકા ઘટાડાની સાથે 824 કરોડ રૂપિયા પ્રતિ દિવસ રહી છે.
Published at : 05 Jan 2017 11:47 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















