શોધખોળ કરો
ત્રણ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજથી રોજ સુનાવણી
1/3

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ મુસલમાનોમાં ત્રણ તલાક, નિકાહ હલાલા અને બહુવિવાહ પ્રથાઓ પર બંધારણ બેન્ચ નિયમિત ધોરણે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણ બેન્ચ સાત અરજી પર સુનાવણી કરશે. જેમાંથી પાંચ અરજી મુસ્લિમ મહિલાઓએ કરી છે જેમાં મુસ્લિમ સમુદાયમાં પ્રચલિત ત્રણ તલાકની પ્રથાને પડકાર આપતા તેને ગેરબંધારણીય ગણાવી છે.
2/3

બંધારણ બેન્ચમાં ચીફ જસ્ટિસ જે.એસ. ખેહર સાથે જસ્ટિસ કુરિયન જોસેફ,,જસ્ટિસ નરિમાન, જસ્ટિસ યુ.યુ લલિત અને જસ્ટિસ અબ્દુલ નજીર સામેલ છે. ગુરુવારની સુનાવણીમાં કોર્ટ સૌ પહેલા સુનાવણીના મુદ્દા નક્કી કરશે. કેન્દ્ર સરકાર, અરજદાર મહિલાઓ અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ સહિત તમામ પક્ષકારો કોર્ટ સમક્ષ લેખિત દલીલો રજૂ કરી ચૂક્યા છે.
Published at : 11 May 2017 06:46 AM (IST)
View More























