શોધખોળ કરો
આશ્રમમાં હત્યા મામલે રામપાલને આજીવન કેદની સજા, કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો
1/3

સજાની જાહેરાત કરતાં પહેલા કોર્ટની ચારે બાજુ ત્રણ કિલોમીટર સુધી કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. હિસાર જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. રામપાલ અને તેમના અનુયાયીઓ વિરૂદ્ધ બરવાલા પોલીસ સ્ટેશનમાં 19 નવેમ્બર, 2014નાં રોજ બે કેસ દાખલ કરવામાં આવ્યાં હતા.
2/3

જે મામલાઓમાં રામપાલને દોષી જાહેર કરાયો છે તેમાં પહેલો કેસ મહિલા ભક્તની સંદિગ્ધ મોતનો મામલો છે, જેની લાશ તેના સતલોક આશ્રમમાંથી 18 નવેમ્બર, 2014નાં રોજ મળી આવી હતી. જ્યારે કે બીજો કેસ હિંસા સાથે જોડાયેલો છે જેમાં રામપાલના ભક્તોએ પોલીસની સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન લગભગ 10 દિવસ સુધી હિંસા ચાલી હતી જેમાં 4 મહિલાઓ અને 1 બાળકનું મોત નિપજ્યું હતું.
Published at : 16 Oct 2018 12:59 PM (IST)
Tags :
Murder CaseView More





















