આ મામલે શિવસેનાએ કહ્યું કે, ‘‘જો કોંગ્રેસ અને જેડીએસની પાસે 116 ધારાસભ્યોનું સમર્થન છે અને તેમછતાં રાજ્યપાલ તેને સરકાર બનાવવાનો મોકો નથી આપતા, તો તેની અસર સંસદમાં જોવા મળી શકે છે, અને કેટલાક દિવસો સુધી કાર્યવાહી પણ ઠપ થઇ શકે છે.’’
2/6
3/6
4/6
જોકે, શિવસેનાએ કહ્યું કે સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપ નૈતિક આધાર પર સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. તેમને એમ પણ કહ્યું કે, ‘‘સૌથી મોટી પાર્ટીને પહેલા આમંત્રિત કરવી બંધારણીય નિયમ છે.’’
5/6
મુંબઇઃ કર્ણાટક ચૂંટણી પરિણામ બાદ હવે રાજકીય પાર્ટીઓ મૂંઝવણમાં મુકાઇ છે, કે કર્ણાટકમાં કોને સરકાર બનાવવાનો ચાન્સ મળે છે. રાજ્યપાલ વોરા કોને સરકાર બનાવવાનું આમંત્રણ આપશે તેના પર સૌની નજર રહેલી છે. આ મુદ્દે શિવસેનાએ ધમકીભર્યું સ્ટેટમેન્ટ આપ્યુ છે, કહ્યું કે જો રાજ્યપાલ કોંગ્રેસ અને જેડીએસને સરકાર બનાવવાનો મોકો નહીં આપે છે હંગામો થઇ શકે છે.
6/6
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની 222 બેઠકોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપ પાસે 104 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ 78 અને જેડીએસ 37 બેઠકો સાથે ક્રમશઃ પાછળ છે. જોકે, હાલ કોંગ્રેસ અને જેડીએસે ગઠબંધન કરીને સરકાર બનાવવાનું નક્કી કરી લીધુ છે, જેને લઇને રાજ્યમાં રાજનીતિ ગરમાઇ છે. કોગ્રેસ અને જેડીએસના મળીને 116 ધારાસભ્યો થઇ જાય છે.