શોધખોળ કરો
તિતલી વાવાઝોડું: આંધ્ર પ્રદેશમાં 8ના મોત, ઓડિશામાં વાવાઝોડાનો કહેર
1/4

આ ભયાનક વાવાઝોડાથી બચવા માટે અલગ અલગ જિલ્લામાં એનડીઆરએફની 18 ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે 11 અને 12 તારીખે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કેટલીક રેલવે સેવાઓ બંધ કરવામાં આવી છે.
2/4

ભુવનેશ્વર: ચક્રવાતી ‘તિતલી’ વાવાઝોડાથી ઓડિશાના ગંજમ અને ગજપતિ જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ છે. ઓડિશામાં 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. અનેક કાચા મકાનો પણ ધરાશાઈ થઈ ગયા છે. આ વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશમાં 8 લોકોના મોત થયા છે.
Published at : 11 Oct 2018 04:53 PM (IST)
Tags :
CycloneView More





















