શોધખોળ કરો

2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી

આ અભ્યાસ WHO ની કેન્સર એજન્સી IARC (ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર) દ્ધારા કરવામાં આવ્યો છે.

એક નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2008થી 2017ની વચ્ચે જન્મેલા 1.5 કરોડથી વધુ બાળકોને ભવિષ્યમાં પેટનું કેન્સર એટલે કે ગેસ્ટ્રિક કેન્સર થઇ શકે છે. જેમાં સૌથી વધુ કેસ ચીનમાં હશે અને ભારત બીજા ક્રમે રહેશે.

એક મીડિયા રિપોર્ટ મુજબ, એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ કેસોમાં લગભગ બે તૃતીયાંશ એશિયામાં જોવા મળી શકે છે. આ પછી અમેરિકા અને આફ્રિકામાં કેસ વધી શકે છે. આ અભ્યાસ WHO ની કેન્સર એજન્સી IARC (ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર) દ્ધારા કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં કુલ 1.56 કરોડ લોકોને તેમના જીવનમાં ગેસ્ટ્રિક કેન્સર થવાની સંભાવના છે. આમાંથી 76 ટકા કેસ પેટમાં જોવા મળતા બેક્ટેરિયા 'હેલિકોબેક્ટર પાયલોરી'ને કારણે થશે. આ બેક્ટેરિયા લાંબા સમય સુધી પેટમાં રહે છે અને ધીમે ધીમે કેન્સરનું કારણ બની શકે છે.

પેટના કેન્સરથી બચવા માટે આપવામાં આવેલા સૂચનો

પેટનું કેન્સર વિશ્વમાં કેન્સરથી મૃત્યુનું પાંચમું સૌથી મોટું કારણ છે. આ રોગને રોકવા માટે વધુ ધ્યાન અને રોકાણ જરૂરી છે. ખાસ કરીને સમયસર લોકોનું પરીક્ષણ કરવું અને આ બેક્ટેરિયાની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો યોગ્ય પગલાં લેવામાં ન આવે તો ફક્ત ભારતમાં જ 16.5 લાખથી વધુ કેસ થઈ શકે છે. ભારત અને ચીનમાં સંયુક્ત રીતે 65 લાખ નવા કેસ થવાની સંભાવના છે. જો સમયસર ટેસ્ટ અને સારવાર કરવામાં આવે તો 75 ટકા કેસ અટકાવી શકાય છે. એટલે કે આ રોગને સંપૂર્ણપણે અટકાવી શકાય છે ફક્ત સાચી માહિતી અને સમયસર સારવારની જરૂર છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાની કેન્સર એજન્સી ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરના સંશોધકોએ એ ગ્લોબોકન 2022 ડેટાબેઝનો ઉપયોગ કરીને 185 દેશોમાં ગેસ્ટ્રિક કેન્સરની ઘટનાઓ પરના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું, તેમજ સંયુક્ત રાષ્ટ્રના વસ્તી વિષયક ડેટામાંથી અંદાજિત મૃત્યુ દરનું વિશ્લેષણ કર્યું હતુ.

નેચર મેડિસિન પત્રિકામાં પ્રકાશિત અભ્યાસમાં લેખકોએ કહ્યું હતું કે "વૈશ્વિક સ્તરે આ જન્મ જૂથોમાં 15.6 મિલિયન આજીવન ગેસ્ટ્રિક કેન્સરના કેસોની સંભાવના છે જેમાંથી 76 ટકા હેલિકોબેક્ટર પાયલોરી કારણ બની શકે છે. લેખકોએ ગેસ્ટ્રિક કેન્સરને રોકવા માટે વધુ પગલા લેવાની હાકલ કરી હતી. ખાસ કરીને તપાસ અને બેક્ટેરિયલ ચેપની સારવારના માધ્યમથી આ રોગને અટકાવી શકાય છે.

તેમણે ઉમેર્યું હતું કે યુવાન અને વૃદ્ધ વસ્તીમાં વધતા જતા કેસોને કારણે મૃત્યુ દર અને ગેસ્ટ્રિક કેન્સરના કેસ ઘટાડવાના તાજેતરના પ્રયાસો ઉલટાવી શકાય છે.

અભ્યાસમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે એશિયામાં 10.6 મિલિયન નવા ગેસ્ટ્રિક કેન્સરના કેસ આવશે જેમાં ફક્ત ભારત અને ચીનમાં 6.5 મિલિયન કેસ થવાની ધારણા છે. ગેસ્ટ્રિક કેન્સરને નિયંત્રિત કરવા માટેના વર્તમાન પગલાંમાં કોઈ ફેરફાર નહીં થાય તો ભારતમાંથી કેસ 1,657,670 હોઈ શકે છે, એમ તેમણે અનુમાન લગાવ્યું હતું. જોકે, જો વસ્તીમાં ગેસ્ટ્રિક કેન્સરને નિયંત્રિત કરવા માટેના પગલાં લેવામાં આવે તો લેખકોએ શોધી કાઢ્યું કે રોગના અપેક્ષિત કેસોમાં 75 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

પેટનું કેન્સર શું છે?

પેટનું કેન્સર એટલે કે ગેસ્ટ્રિક કેન્સર એક ગંભીર રોગ છે જે પેટના આંતરિક સ્તરથી શરૂ થાય છે અને ધીમે ધીમે ઊંડે સુધી ફેલાઈ શકે છે. શરૂઆતના તબક્કામાં તેના લક્ષણો ખૂબ જ હળવા અથવા સામાન્ય હોય છે તેથી તેને ઓળખવું મુશ્કેલ છે. પરંતુ યોગ્ય માહિતી અને સમયસર તપાસ સાથે તેને ઓળખી શકાય છે અને સારવાર કરી શકાય છે.                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વધતા હાર્ટ એટેકના જોખમ વચ્ચે તમારા હૃદય માટે શું બેસ્ટ છે? જિમ કે યોગ? જુઓ રિપોર્ટ
વધતા હાર્ટ એટેકના જોખમ વચ્ચે તમારા હૃદય માટે શું બેસ્ટ છે? જિમ કે યોગ? જુઓ રિપોર્ટ
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ઈંડા Vs સોયાબીન... પ્રોટીનની બાબતમાં કોણ છે વધુ શક્તિશાળી? ખાતા પહેલા જાણીલો
ઈંડા Vs સોયાબીન... પ્રોટીનની બાબતમાં કોણ છે વધુ શક્તિશાળી? ખાતા પહેલા જાણીલો
Women Health: 35 ની ઉંમર પછી કેમ મહિલાઓના હાડકા નબળા પડવા લાગે છે? જાણો લક્ષણો અને ઉપાયો
Women Health: 35 ની ઉંમર પછી કેમ મહિલાઓના હાડકા નબળા પડવા લાગે છે? જાણો લક્ષણો અને ઉપાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મૃદુ દાદાનો મક્કમ નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ક્યા અટવાયું ચોમાસુ ?
Bootlegger's Dadagiri: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરની દાદાગીરી
Ambalal Patel Rain Prediction : જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર: અંબાલાલ પટેલની નવી આગાહી
Morbi Farmers Protest: મોરબીના જેતપરના આંદોલનકારી ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
Embed widget