શોધખોળ કરો

2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી

આ અભ્યાસ WHO ની કેન્સર એજન્સી IARC (ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર) દ્ધારા કરવામાં આવ્યો છે.

એક નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2008થી 2017ની વચ્ચે જન્મેલા 1.5 કરોડથી વધુ બાળકોને ભવિષ્યમાં પેટનું કેન્સર એટલે કે ગેસ્ટ્રિક કેન્સર થઇ શકે છે. જેમાં સૌથી વધુ કેસ ચીનમાં હશે અને ભારત બીજા ક્રમે રહેશે.

એક મીડિયા રિપોર્ટ મુજબ, એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ કેસોમાં લગભગ બે તૃતીયાંશ એશિયામાં જોવા મળી શકે છે. આ પછી અમેરિકા અને આફ્રિકામાં કેસ વધી શકે છે. આ અભ્યાસ WHO ની કેન્સર એજન્સી IARC (ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર) દ્ધારા કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં કુલ 1.56 કરોડ લોકોને તેમના જીવનમાં ગેસ્ટ્રિક કેન્સર થવાની સંભાવના છે. આમાંથી 76 ટકા કેસ પેટમાં જોવા મળતા બેક્ટેરિયા 'હેલિકોબેક્ટર પાયલોરી'ને કારણે થશે. આ બેક્ટેરિયા લાંબા સમય સુધી પેટમાં રહે છે અને ધીમે ધીમે કેન્સરનું કારણ બની શકે છે.

પેટના કેન્સરથી બચવા માટે આપવામાં આવેલા સૂચનો

પેટનું કેન્સર વિશ્વમાં કેન્સરથી મૃત્યુનું પાંચમું સૌથી મોટું કારણ છે. આ રોગને રોકવા માટે વધુ ધ્યાન અને રોકાણ જરૂરી છે. ખાસ કરીને સમયસર લોકોનું પરીક્ષણ કરવું અને આ બેક્ટેરિયાની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો યોગ્ય પગલાં લેવામાં ન આવે તો ફક્ત ભારતમાં જ 16.5 લાખથી વધુ કેસ થઈ શકે છે. ભારત અને ચીનમાં સંયુક્ત રીતે 65 લાખ નવા કેસ થવાની સંભાવના છે. જો સમયસર ટેસ્ટ અને સારવાર કરવામાં આવે તો 75 ટકા કેસ અટકાવી શકાય છે. એટલે કે આ રોગને સંપૂર્ણપણે અટકાવી શકાય છે ફક્ત સાચી માહિતી અને સમયસર સારવારની જરૂર છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાની કેન્સર એજન્સી ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરના સંશોધકોએ એ ગ્લોબોકન 2022 ડેટાબેઝનો ઉપયોગ કરીને 185 દેશોમાં ગેસ્ટ્રિક કેન્સરની ઘટનાઓ પરના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું, તેમજ સંયુક્ત રાષ્ટ્રના વસ્તી વિષયક ડેટામાંથી અંદાજિત મૃત્યુ દરનું વિશ્લેષણ કર્યું હતુ.

નેચર મેડિસિન પત્રિકામાં પ્રકાશિત અભ્યાસમાં લેખકોએ કહ્યું હતું કે "વૈશ્વિક સ્તરે આ જન્મ જૂથોમાં 15.6 મિલિયન આજીવન ગેસ્ટ્રિક કેન્સરના કેસોની સંભાવના છે જેમાંથી 76 ટકા હેલિકોબેક્ટર પાયલોરી કારણ બની શકે છે. લેખકોએ ગેસ્ટ્રિક કેન્સરને રોકવા માટે વધુ પગલા લેવાની હાકલ કરી હતી. ખાસ કરીને તપાસ અને બેક્ટેરિયલ ચેપની સારવારના માધ્યમથી આ રોગને અટકાવી શકાય છે.

તેમણે ઉમેર્યું હતું કે યુવાન અને વૃદ્ધ વસ્તીમાં વધતા જતા કેસોને કારણે મૃત્યુ દર અને ગેસ્ટ્રિક કેન્સરના કેસ ઘટાડવાના તાજેતરના પ્રયાસો ઉલટાવી શકાય છે.

અભ્યાસમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે એશિયામાં 10.6 મિલિયન નવા ગેસ્ટ્રિક કેન્સરના કેસ આવશે જેમાં ફક્ત ભારત અને ચીનમાં 6.5 મિલિયન કેસ થવાની ધારણા છે. ગેસ્ટ્રિક કેન્સરને નિયંત્રિત કરવા માટેના વર્તમાન પગલાંમાં કોઈ ફેરફાર નહીં થાય તો ભારતમાંથી કેસ 1,657,670 હોઈ શકે છે, એમ તેમણે અનુમાન લગાવ્યું હતું. જોકે, જો વસ્તીમાં ગેસ્ટ્રિક કેન્સરને નિયંત્રિત કરવા માટેના પગલાં લેવામાં આવે તો લેખકોએ શોધી કાઢ્યું કે રોગના અપેક્ષિત કેસોમાં 75 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

પેટનું કેન્સર શું છે?

પેટનું કેન્સર એટલે કે ગેસ્ટ્રિક કેન્સર એક ગંભીર રોગ છે જે પેટના આંતરિક સ્તરથી શરૂ થાય છે અને ધીમે ધીમે ઊંડે સુધી ફેલાઈ શકે છે. શરૂઆતના તબક્કામાં તેના લક્ષણો ખૂબ જ હળવા અથવા સામાન્ય હોય છે તેથી તેને ઓળખવું મુશ્કેલ છે. પરંતુ યોગ્ય માહિતી અને સમયસર તપાસ સાથે તેને ઓળખી શકાય છે અને સારવાર કરી શકાય છે.                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું શેરડીનો રસ ખરેખર હેલ્ધી છે? જાણો કઈ બીમારીઓમાં તે ઝેર સમાન સાબિત થઈ શકે છે
શું શેરડીનો રસ ખરેખર હેલ્ધી છે? જાણો કઈ બીમારીઓમાં તે ઝેર સમાન સાબિત થઈ શકે છે
હાઇ રાઇઝ બિલ્ડિંગમાં ફ્લેટ લેવો છે? આ ખાસ માળ જ પસંદ કરો, જાણો ઉદ્યોગપતિની ટિપ્સ
હાઇ રાઇઝ બિલ્ડિંગમાં ફ્લેટ લેવો છે? આ ખાસ માળ જ પસંદ કરો, જાણો ઉદ્યોગપતિની ટિપ્સ
ઉનાળામાં ગરોળીના ત્રાસથી છો પરેશાન? આ 3 હોમમેઇડ સ્પ્રે અને દેશી ઉપાયથી મેળવો છુટકારો
ઉનાળામાં ગરોળીના ત્રાસથી છો પરેશાન? આ 3 હોમમેઇડ સ્પ્રે અને દેશી ઉપાયથી મેળવો છુટકારો
Health tips: પેટ છાતીમાં બળતરા અને અપચાથી પરેશાન છો? અજમાવી જુઓ આ ઉપાય
મપેટ છાતીમાં બળતરા અને અપચાથી પરેશાન છો? અજમાવી જુઓ આ ઉપાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બંગાળમાં કોનું રાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના 4 એક્કા
Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર
West Bengal Voting Phase 2 : પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 90 ટકા મતદાન
Chaitar Vasava Allegations : ચૈતરનો હુંકાર: જેલથી અમે ડરતા નથી, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...
તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
બંગાળ એક્ઝિટ પોલ 2026: મમતા બેનર્જીનો જાદુ બરકરાર, 2 સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળી
બંગાળ એક્ઝિટ પોલ 2026: મમતા બેનર્જીનો જાદુ બરકરાર, 2 સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળી
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચે બદલી ડેડલાઈન, હવે 31 મે સુધી મળશે તક
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચે બદલી ડેડલાઈન, હવે 31 મે સુધી મળશે તક
30 એપ્રિલનું હવામાન: આ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે, જાણો આવતીકાલનું હવામાન
30 એપ્રિલનું હવામાન: આ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે, જાણો આવતીકાલનું હવામાન
કેરળ વિધાનસભા ચૂંટણી 2026 એક્ઝિટ પોલ: કોંગ્રેસ ગઠબંધન UDF આગળ, જાણો કોને કેટલી બેઠક?
કેરળ વિધાનસભા ચૂંટણી 2026 એક્ઝિટ પોલ: કોંગ્રેસ ગઠબંધન UDF આગળ, જાણો કોને કેટલી બેઠક?
Embed widget