શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Ahmedabad Blast 2008: 14 વર્ષ અગાઉ 26 જૂલાઇ 2008ના રોજ અમદાવાદમાં શું બન્યું હતું?

અમદાવાદમાં 26 જૂલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતોમાંથી 38 દોષિતોને આજે ફાંસીની સજા આપવામાં આવી હતી

અમદાવાદઃ અમદાવાદમાં 26 જૂલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતોમાંથી 38 દોષિતોને આજે ફાંસીની સજા આપવામાં આવી હતી જ્યારે 11 દોષિતોને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવામાં આવી છે. દેશના ઈતિહાસમાં સૌથી મોટો ઐતિહાસિક ચુકાદો છે. કોર્ટે સિરિયલ બ્લાસ્ટમાં મૃતકોના પરિવારને એક લાખ અને ગંભીર ઈજાગ્રસ્તોને વળતર આપવાનો આદેશ કર્યો હતો જ્યારે ઓછી ઈજા થયેલા લોકોને 25 હજારનું વળતર આપવાનો પણ આદેશ કરાયો હતો.

70 મિનિટમાં જ 20 સ્થળે 21 બ્લાસ્ટ થયા હતા

26 જુલાઈ, 2008ના રોજ શનિવારને અમદાવાદીઓ ભૂલી નહી શકે. એ દિવસે સાંજના સાડા છ વાગ્યાથી 8:10 વાગ્યા સુધીમાં શહેર સિરિયલ બોમ્બબ્લાસ્ટથી ધણધણી ઊઠ્યું હતું. શહેરમાં એક બાદ એક 70 મિનિટમાં જ 20 સ્થળે 21 બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોનાં મોત અને 200થી વધુને ઈજા પહોંચી હતી. મૃતકોનું સતત 72 કલાક સુધી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

આ વિસ્તારોમાં થયા હતા બ્લાસ્ટ

શહેરના હાટકેશ્વર, નરોડા, સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, નારોલ સર્કલ, જવાહર સર્કલ, ગોવિંદ વાડી, ઇસનપુર, ખાડિયા, રાયપુર ચકલા, સરખેજ, સારંગપુર, ઠક્કરબાપા નગર, બાપુનગર વિસ્તારમાં વિસ્ફોટ થયા હતા. તે સિવાય રામોલ અને ખાત્રજમાં એએમટીએસની બસમાંથી જે બોમ્બ મળ્યા હતા તેને ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતા.

45 ફરિયાદ નોંધાઇ હતી

આ વિસ્ફોટની જવાબદારી આતંકી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીને સ્વીકારી હતી. જેમાં રિયાઝ, ઇકબાલ, યાસીન ભટકલ માસ્ટરમાઇન્ડ હતા. આતંકીઓએ વિસ્ફોટનું પ્લાનિંગ કેરળના જંગલોમાં કર્યુ હતું. ત્યારે બ્લાસ્ટ બાદ આતંકીઓનું મોડ્યુલ સામે આવતા તપાસની જવાબદારી ખાસ અધિકારીઓને સોંપવામાં આવી હતી અને 19 દિવસમાં સમગ્ર કેસ ઉકેલી દેવાયો હતો આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઇઆર નોંધવામાં આવી હતી.

ગુજરાત પોલીસ ઉપરાંત મધ્ય પ્રદેશની ઉજ્જૈન પોલીસ, દિલ્હી, મુંબઈ, કર્ણાટક, કેરળ અને રાજસ્થાન પોલીસે આ બ્લાસ્ટમાં સંડવાયેલા આરોપીઓની ધરપકડ કરીને ગુજરાત પોલીસને સોંપ્યા હતા.

આતંકીઓ કારમાં લાવ્યા હતા વિસ્ફોટકો

ગોધરાકાંડ બાદના રમખાણોનો બદલો લેવા કાવતરુ ઘડવામાં આવ્યું હતું. આતંકીઓની એક ટીમ ટ્રેન મારફતે અમદાવાદ આવી હતી. આતંકીઓ મુંબઇથી કારમાં વિસ્ફોટકો લાવ્યા હતા. કાર મારફતે અમદાવાદ અને સુરતમાં વિસ્ફોટકો લાવવામાં આવ્યા હતા. સમગ્ર કાવતરા માટે 13 સાઇકલો ખરીદી હતી અને લોકલ સ્લીપર સેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેસમાં 82 આતંકીઓને પકડી લેવાયા હતા.

કેસમાં 6000 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા 

ડિસેમ્બર 2009માં લાંબી કાયદાકીય કાર્યવાહી શરૂ થઇ હતી. આ કેસમાં 1163 લોકોની જુબાની લેવામાં આવી છે. 1237 સાક્ષીઓને પડતા મુકાયા હતા. 6000 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. 51 લાખ પેજની 521 ચાર્જશીટ દાખલ કરાઇ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget