શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ કોંગ્રેસના કયા નેતાએ ટિકિટ મળ્યા પહેલા જ શરૂ કરી દીધો પ્રચાર? જાણો શું કર્યો મોટો દાવો?
સરદારનગર વોર્ડના પૂર્વ કાઉન્સિલર ઓમપ્રકાશ તિવારીએ પ્રચાર શરૂ કરી દીધો છે. કાર્યકર્તાઓ સાથે પૂર્વ કાઉન્સિલરે પ્રચાર શરૂ કર્યો છે.
![અમદાવાદઃ કોંગ્રેસના કયા નેતાએ ટિકિટ મળ્યા પહેલા જ શરૂ કરી દીધો પ્રચાર? જાણો શું કર્યો મોટો દાવો? Ahmedabad congress leader start election campaign before declare name અમદાવાદઃ કોંગ્રેસના કયા નેતાએ ટિકિટ મળ્યા પહેલા જ શરૂ કરી દીધો પ્રચાર? જાણો શું કર્યો મોટો દાવો?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/02170843/Ahmedabad-Congress.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ આગામી 21મી ફેબ્રુઆરીએ છ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના દાવેદારો પાર્ટી નામ જાહેર કરે તેની રાહ જોઇ રહ્યા છે. જોકે, અમદાવાદ કોંગ્રેસમાં ઉમેદવારની યાદી જાહેર થતા પહેલા પ્રચાર શરૂ કરી દેવાયો છે.
સરદારનગર વોર્ડના પૂર્વ કાઉન્સિલર ઓમપ્રકાશ તિવારીએ પ્રચાર શરૂ કરી દીધો છે. કાર્યકર્તાઓ સાથે પૂર્વ કાઉન્સિલરે પ્રચાર શરૂ કર્યો છે. એક તરફ કોંગ્રેસમાં ટિકિટ મામલે ઘમાસાણ તો એક તરફ ઇચ્છુક દાવેદારે પ્રચાર શરૂ કરી દીધો છે. ટિકિટ મળે કે ન મળે અમે લોકોની વચ્ચે જવાની શરૂઆત કરી દીધી છે, તેમ પૂર્વ કાઉન્સિલરે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, અમને વિશ્વાસ છે કે પાર્ટી ટિકિટ તો આપશે, પણ તેની સાથે સરદારનગર વોર્ડમાં કોંગ્રેસની પેનલ આવશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
અમદાવાદ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)