શોધખોળ કરો
અમદાવાદના નવા મ્યુનિ. કમિશ્નર મુકેશ કુમારે કોરોનાને નાથવા શું બનાવ્યો માસ્ટર પ્લાન? જાણો વિગત
હવે સુપર સ્પ્રેડર, વૃદ્ધો અને સ્લમ વિસ્તારો AMCના મુખ્ય લક્ષ્ય રહેશે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો સૌથી વધુ કહેર અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારે કોરોનાને નાથવા માટે માસ્ટર પ્લાન ઘડી રહ્યા છે. કોરોનાથી અમદાવાદને બચાવવા AMC નવી સ્ટ્રેટેજી અમલી બનાવશે. આ અંગે અમદાવાદના મ્યુ. કમિશનર મુકેશ કુમારની આગેવાનીમાં નિર્ણય લેવાશે. આ સ્ટ્રેટેજી પ્રમાણે તમામ DYMCને ફિલ્ડમાં ફરજીયાત ફરવા માટે સૂચના અપાશે. તેમજ ફિલ્ડમાં ફર્યા બાદ સાંજે રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. એટલું જ નહીં, હવે સુપર સ્પ્રેડર, વૃદ્ધો અને સ્લમ વિસ્તારો AMCના મુખ્ય લક્ષ્ય રહેશે. આ સપ્તાહમાં સુપર સ્પ્રેડરમાં ફેલાતો કોરોના, સ્લમ વિસ્તારમાં ફેલાતો અટકાવવો તે મુખ્ય ઉદ્દેશ છે. કોટ વિસ્તારમાં સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપી કેસ કાબૂમાં કરવાની બેઠકમાં ચર્ચા થશે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















