શોધખોળ કરો

Ahmedabad Coronavirus : અમદાવાદથી પાસેના આ ગામમાં અત્યાર સુધીમાં નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ, કોરોના સામે કેવી રીતે મેળવ્યો વિજય?

સાણંદ (Sanand Taluka) તાલુકાના મોતીપુરા (Motipura) ગામમા હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. અમદાવાદથી 25 કી. મી. દૂર આવેલા મોતીપુરામાં કોરોનાને નો એન્ટ્રી છે. મોતીપુરા ગામમાં 2600ની વસ્તી છે. એક વર્ષથી મોતીપુરા ગામમા સામાજિક- ધાર્મિક પ્રસંગ થયા નથી. ગામમાંથી કોઈ બહાર નહીં અને ગામનું કોઈ અંદર નહીના સૂત્ર સાથે કામગીરી થઈ રહી છે. 

Ahmedabad : ગુજરાતમાં ફરી એકવાર કોરોના(Gujarat Corona)એ હાહાકાર મચાવ્યો છે. હવે તો ગામડાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ગુજરાતમાં સુરત(Surat) અને અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે, ત્યારે અમદાવાદથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં આજ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. 

સાણંદ (Sanand Taluka) તાલુકાના મોતીપુરા (Motipura) ગામમા હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. અમદાવાદથી 25 કી. મી. દૂર આવેલા મોતીપુરામાં કોરોનાને નો એન્ટ્રી છે. મોતીપુરા ગામમાં 2600ની વસ્તી છે. એક વર્ષથી મોતીપુરા ગામમા સામાજિક- ધાર્મિક પ્રસંગ થયા નથી. ગામમાંથી કોઈ બહાર નહીં અને ગામનું કોઈ અંદર નહીના સૂત્ર સાથે કામગીરી થઈ રહી છે. 

લોકડાઉન(lockdown)ની ગામના લોકોએ કડક અમલવારી કરી હતી. લોકડાઉનના અમલ માટે યોદ્ધા ટીમની રચના કરી હતી. આજે પણ ગામમા કોરોના મહામારીના નિયમો(corona guideline)ની અમલવારી થાય છે.

ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરરોજ રાજ્યમાં કોરોનાના કેસનો રેકોર્ડ બની રહ્યો છે. શુક્રવારે પણ રાજ્યમાં સૌથી વધુ 2190 કેસ નોંધાયા હતા. જ્યારે સૌથી ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10134 પર પહોંચ્યા છે. અમદાવાદ (Ahemdabad)અને સુરત (Surat)માં કોરોના સંક્રમણના કેસ ખૂબ જ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ બંને શહેરોમાં કોરોના સંક્રમણના કેસ 600ને પાર પહોંચી ગયા છે. 

 

કેટલો થયો વધારો ?

 

ગુજરાતમાં છેલ્લા સાત જ દિવસમાં 13,871 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવની સંખ્યામાં 65 ટકાનો વધારો થયો છે.

 

તારીખ

કેસ

એક્ટિવ કેસ

19 માર્ચ

1415

6147

20 માર્ચ

1565

6737

21 માર્ચ

1580

7321

22 માર્ચ

1640

7847

23 માર્ચ

1730

8318

24 માર્ચ

1790

8823

25 માર્ચ

1961

9372

26 માર્ચ

2190

10134

 

 

 

 

 

રાજ્યમાં શુક્રવારે વધુ 6  લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા અને 1422  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોના(Corona) સંક્રમણથી કુલ મૃત્યુઆંક 4479 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 2,96, 320 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 2,81,707 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  હાલ 10134 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 લોકો વેન્ટિલેટર પર અને 10051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.07 ટકા પર પહોંચ્યો છે.

 



 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

 

આજે સુરત કોર્પોરેશન(SMC)માં 4,  અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 1 અને રાજકોટ કોર્પોરેશન(RMC)માં 1નાં મોત સાથે કુલ 6 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4479 લોકોના કોરોનાથી મોત થયા છે. 

 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

 

અમદાવાદ કોર્પોરેશનમાં 609, સુરત કોર્પોરેશનમાં 604, વડોદરા કોર્પોરેશનમાં 165 ,  રાજકોટ  કોર્પોરેશનમાં 139, સુરતમાં 136, પાટણમાં -45, ભાવનગર કોર્પોરેશન-32, મહિસાગર-25,  નર્મદા-25,  રાજકોટ-25, જામનગર-24, જામનગર કોર્પોરેશન-23, ગાંધીનગર કોર્પોરેશન-22, વડોદરા -22, અમરેલી-20, દાહોદમાં-20, કચ્છ-20, ખેડામાં-19, મહેસાણા-19, મોરબીમાં-19 ગાંધીનગર-18, સુરેન્દ્રનગર-17, આણંદ-15, સાબરકાંઠા-15, ભરુચ-13, પંચમહાલ-13, નવસારી-12 અને વલસાડમાં 10 કેસ નોંધાયા હતા. 

 

કેટલા લોકોએ લીધી રસી

 

વેક્સિનેસન (Corona Vaccination) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 40,89,217  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,25,153 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 2,29,051 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,11,864 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ

વિડિઓઝ

Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
Embed widget