![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, બચેલા લોકો ભાજપમાં જવા લાગ્યા છે; રોજ ઊઠીને કેજરીવાલને ભાજપવાળા ગાળો બોલે છે'
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
!['કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, બચેલા લોકો ભાજપમાં જવા લાગ્યા છે; રોજ ઊઠીને કેજરીવાલને ભાજપવાળા ગાળો બોલે છે' Gujarat Election AAP president Gopal Italia allegations on BJP and Congress 'કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, બચેલા લોકો ભાજપમાં જવા લાગ્યા છે; રોજ ઊઠીને કેજરીવાલને ભાજપવાળા ગાળો બોલે છે'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/f185217d79813f3f6fb2a346a43e8939166253923581573_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આપ ગુજરાતમાં મજબૂત વિકલ્પ બની રહી છે. વધતો ભરોસો જોઈને ભાજપના લોકો ગભરાઈ ગયા છે. રોજ ઊઠીને કેજરીવાલને ભાજપવાળા ગાળો બોલે છે.
તેમણે કહ્યું કે, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, બચેલા લોકો ભાજપમાં જવા લાગ્યા છે. આગામી ચૂંટણી ઈમાનદાર આપ અને મહાભ્રષ્ટ ભાજપ પક્ષ વચ્ચે છે. આમ આદમી પાર્ટીએ ભૂતકાળમાં 29 ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે અમે વધુ 12 ઉમેદવારો જાહેર કર્યા છે. ભ્રષ્ટ ભાજપ અને પતન થઈ ગયેલી કોંગ્રેસ કરતા અમે વહેલા ઉમેદવારો જાહેર કર્યા છે.
કોને કોને મળી ટિકિટ?
હિંમતનગરથી નિર્મલસિંહ પરમાર
ગાંધીનગર સાઉથ- દોલત પટેલ
સાણંદ- કુલદીપ વાઘેલા
વટવા- બિપીન પટેલ
અમરાઈવાડી- ભરતભાઈ પટેલ
કેશોદ- રામજીભાઈ ચુડાસમા
ઠાસરા- નટવરસિંહ રાઠોડ
શેહરા- તખ્તસિંગ સોલંકી
કાલોલ (પંચમહાલ) દિનેશ બારીયા
ગરબાડા - શૈલેશ કનુભાઈ ભાભોર
લીબાયત- પંકજ તાયડે
ગણદેવી- પંકજ પટેલ
Gujarat Election : કેજરીવાલ બે દિવસમાં સંબોધશે પાંચ જનસભા, જાણો શું છે કાર્યક્રમ
અમદાવાદઃ મિશન 2022ને લઈ આમ આદમી પાર્ટીનો પ્રચાર તેજ થયો છે. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. કેજરીવાલ 8 અને 9 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવશે. કેજરીવાલ 2 દિવસોમાં 5 જેટલી જનસભા સંબોધશે.
Gujarat Election : કોંગ્રેસની પહેલી યાદીમાં હશે 50થી વધુ ઉમેદવારો, જાણો સંપૂર્ણ વિગત
Guajrat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ઉમેદવારોની જાહેરાતને પગલે સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે. કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં ત્રણથી ચાર તબક્કામાં ઉમેદવાર જાહેર કરશે. દિવાળી પહેલા કોંગ્રેસ એક યાદી જાહેર કરશે.
પહેલી યાદીમાં 50થી વધુ બેઠકના ઉમેદવારોના નામ જાહેર થશે. બીજી યાદી દિવાળી બાદ , અને ત્રીજી અને ચોથી યાદી ચૂંટણી જાહેરાત બાદ જાહેર થશે. ઉમેદવાર પસંદગીમાં ચાર કેટેગરી નક્કી કરાઇ . વર્તમાન ધારાસભ્ય મોટા ભાગના રિપીટ કરાશે. બેથી ચાર સિટીંગ ધારાસભ્ય બેઠક બદલે તેવી શક્યતા છે.
મિશન 2022 માટે કોંગ્રેસની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ થઈ છે. આજે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળી હતી. સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નીથલાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બે દિવસમાં કોંગ્રેસના ઉમેદવારની પ્રથમ યાદીને આપશે આખરી ઓપ અપાશે. 15 ઓક્ટોબર આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે.
કોંગ્રેસની પ્રથમ યાદીમાં 50 જેટલા ઉમેદવારો જાહેર થઈ શકે છે. સિંગલ નામો અને બે દાવેદારોવાળી બેઠક ઉપર મંથન થયું છે. બે દિવસના અંતે ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)