![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Hooch Tragedy : આજે બોટાદમાં કોંગ્રેસના ધરણા, રઘુ શર્મા-જગદીશ ઠાકોર પણ જોડાશે
બરવાળા લઠ્ઠાકાંડના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના આગેવાનો આજે બોટાદમાં ધરણા કરવાના છે. બપોરે બે કલાકે જ્યોતિગ્રામ સર્કલ પાસે ધરણાનું આયોજન કરાયું છે.
![Gujarat Hooch Tragedy : આજે બોટાદમાં કોંગ્રેસના ધરણા, રઘુ શર્મા-જગદીશ ઠાકોર પણ જોડાશે Gujarat Hooch Tragedy : Today, Gujarat Congress protest in Botad against hooch tragedi Gujarat Hooch Tragedy : આજે બોટાદમાં કોંગ્રેસના ધરણા, રઘુ શર્મા-જગદીશ ઠાકોર પણ જોડાશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/186a4d9153328424de49c3daa6fefb1a1658480240_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોટાદઃ બરવાળા લઠ્ઠાકાંડના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના આગેવાનો આજે બોટાદમાં ધરણા કરવાના છે. બપોરે બે કલાકે જ્યોતિગ્રામ સર્કલ પાસે ધરણાનું આયોજન કરાયું છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓ ધરણા કરશે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર સક્રીય થયા છે અને રાજકારણમાં જોડાવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસમાં જોડાવાના સંકેતો પણ આપી દીધા છે અને કોંગ્રેસ સાથે ચર્ચા ચાલું હોવાનો દાવો પણ કર્યો છે. આ સાથે તેમણે કોંગ્રેસમાં જોડાવા માટે એક શરત પણ રાખી દીધી છે. તેમણે ગુજરાતમાં દારૂબંધી હટાવવાની શરત મૂકી છે.
આ અંગે વાત કરતાં શંકરસિંહે જણાવ્યું હતું કે, આ દારૂબંધી આખી વિધાનસભાના હાથમાં છે. દારૂબંધીના નાટકનો હું વિરોધી છું. એટલે માની લો કે મારે કોંગ્રેસમાં જવાનું થાય તો મારી પહેલી હશે કે વિધાનસભાના સભ્યો એવું નક્કી કરે કે આપણે ગુજરાતમાં દારૂબંધી કાઢી નાંખવી છે. હું માનું કે મને હાઇકમાન્ડ હોય એ એવું કહે કે ધારાસભ્યો નક્કી કરે તો વાંધો ન હોઇ શકે. બહુમતી એમએલએ છે બધાય. છેવટે રાજ્યના માલિકો છે. પણ કુલડીમાં ગોળ ભાંગવાના મતનો હું નથી.
તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષથી ગુજરાતમા રાજકીય શૂન્યાવકાશ છે અને નેતાગીરીના ક્રાંઈસીસ છે. ૨૭ વર્ષથી એક પક્ષનું સાશન છે પરંતુ કોઈ અધિકારી સક્રિય નથી. ગુજરાતમાં દારૂબંધી કાઢી નાંખવી જોઈએ. કોંગ્રેસના મિત્રો સાથે ચાલે છે. દારૂનો ગુજરાતમા ધંધો છે. અગાઉ પ્રજા શક્તિ પાર્ટી બનાવી હતી, પરંતુ એહમદ પટેલના મૃત્યુ પછી લોંચિંગ થયું નથી. લઠ્ઠાકાંડ થયો છે. સત્તા પક્ષના લોકો દારૂ પીવે ત્યાં દારૂબંધી ન થઈ શકે. આરોગ્ય અને શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ.
સરકારને કંટ્રોલ નથી માટે હપ્તાખોરી થાય છે. જે પક્ષના પ્રમુખ બુટલેગર હોય ત્યાં દારૂબત્રધી શક્ય નથી. નશાબંધીની નીતિ સફળ ન થાય એના અનેક કારણો છે. ભાજપ શાસિત રાજ્યોમા દારૂબંધી છે. ગુજરાતમા દારૂબંધી શક્ય નથી. નશાબંધી અને આબકારી ખાતું મારા શાસનમા હતું. રાજકીય પક્ષમા જોડાવા સંદર્ભે નિર્ણય કરવામાં આવશે. પૂર્વની પટ્ટીમા આદીવાસી યુવાનોને રોજગારી મળે. સૌરાષ્ટ્રમા ઓબીસી યુવાનો રોજગારી મળી શકે.
એહેમદ પટેલના સ્વર્ગવાસ અને પછી કોંગ્રેસમા આવી જાઓ એવું કાર્યકર્તાનું કહેવું છે. કોંગ્રેસ સાથે ચર્ચા ચાલુ છે. કોંગ્રેસ જ્યારે નિર્ણય કરે તે કરે. કોંગ્રેસમા જવાનું થાય તો વિધાનસભા ના સભ્યો નક્કી કરી શકે. કુલડીમા ગોળ ભાંગવાના મતનો નથી. ભાજપ કરે એ લીલા. ૧૫ લાખ આપવાની વાત તો નરેન્દ્ર મોદીએ કરી હતી. ચૂંટણી પંચ પોપટ છે અને ચૂંટણી પંચે નિયમો બનાવવા જોઈએ. મતની લાલચમા ન નીકળાય.
મફતની રેવડી બાબતે શંકરસિંહ વાઘેલાનું નિવેદન. મતની લાલચમા મેં ધોખાધડી કરી નથી. ૪૦ હજાર કરોડની આવક રાજ્યને થઈ શકે. લાખો કરોડોનું ડ્રગ્સ ગુજરાતમા પકડાય છે. ૫૦ લાખ યુવાનો બેકાર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)