શોધખોળ કરો

ગુજરાતમાં જેની અછતના કારણે વિવાદ છે એ રેમડેસિવર કોરોનાની દવા જ નથી, મૂળ ક્યા રોગની સારવાર માટે શોધાયેલી ?

રેમડેસીવીર ઈન્જેકશન મૂળભૂત રીતે એન્ટિવાયરસ મેડિકેશન છે અને કોરોના પણ વાયરસના કારણે ફેલાતો રોગ હોવાથી 2020માં રેમડેસીવીર ઈન્જેકશનનો ઉપયોગ કોરાનાની સારવાર માટે કરવા સંશોધન શરૂ થયાં.

અમદાવાદઃ ગુજરાતમાં રેમડેસીવીર ઈન્જેકશનની(Remdesivir Injection)  અછતનો વિવાદ વકર્યો છે અને રાજકીય સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરતમાં રેમડેસીવીર ઈન્જેકશન  ફ્રીમાં આપવાની જાહેરાત કરી તેના કારણે મોટો રાજકીય વિવાદ સર્જાયો છે.

બીજી તરફ રાજ્યમાં ઠેર ઠેર રેમડેસિવિર માટે લોકોની લાઈનો લાગી રહી છે પણ પૂરતા પ્રમાણમાં રેમડેસીવીર ઈન્જેકશન નહીં હોવાથી લોકોએ નિરાશ થઈને પાછા ફરવું પડે છે. લોકોને કોરોનાની સારવાર માટે રેમડેસીવીર ઈન્જેકશન અસરકારકર હોવાનું લાગે છે અને તેના કારણે જ કોરોનાના દર્દી બચશે એવું લાગે છે ત્યારે રસપ્રદ વાત એ છે કે, મૂળભૂત રીતે રેમડેસીવીર ઈન્જેકશન કોરોનાની સારવાર માટે છે જ નહીં.

રેમડેસીવીર ઈન્જેકશન હેપેટાઈટિસ બી રોગની સારવાર માટે બનાવાયું હતું. એ પછી ઈબોલા વાયરસ ડીસિઝ અને મારબર્ગ વાયરસ ઈંફેક્શન માટે પણ તેનો ઉપયોગ શરૂ કરાયો હતો. 2019નાં કોરોનાના કેસ નોંધાવા માંડ્યા પછી તમામ દેશો હાંફળાફાંફળા થઈ ગયા હતા કેમ કે કોરોનાની કોઈ દવા નહોતી.

રેમડેસીવીર ઈન્જેકશન મૂળભૂત રીતે એન્ટિવાયરસ મેડિકેશન છે અને કોરોના પણ વાયરસના કારણે ફેલાતો રોગ હોવાથી 2020માં રેમડેસીવીર ઈન્જેકશનનો ઉપયોગ કોરાનાની સારવાર માટે કરવા સંશોધન શરૂ થયાં. આ સંશોધનોનાં પરિણામો હકારાત્મક દેખાતાં રેમડેસીવીર ઈન્જેકશનનો ઉપયોગ કોરોનાની સારવાર માટે શરૂ કરાયો હતો. 2020ની સાલથી વિશ્વના લગભગ 50 દેશોમાં રેમડેસીવીર ઈન્જેકશનનો ઉપયોગ કોરોનાની સારવાર માટે થાય છે.

આ ઈન્જેકશનના આડેધડ ઉપયોગથી થઈ શકે છે.....

ગુજરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે. રેમડેસિવિરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સાઓમાં રેમડેસિવિરનો ઉપયોગ થઈ રહ્યો છે એ ઠીક નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોનાની સારવારમાં શરતી રીતે રેમડેસીવીર ઈન્જેકશનનો ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે

વિડિઓઝ

Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
Embed widget