શોધખોળ કરો
Advertisement
મધ્ય ગુજરાતના આ શહેરમાં 30 જુલાઈ સુધી સ્વૈચ્છિક રીતે લોકડાઉન પાળવા સત્તાવાળાની અપીલ, જાણો વિગત
નડીયાદ નગરપાલિકા દ્વારા વધુ 10 દિવસના જનતા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદઃ નડિયાદમાં તા. 21 મી જુલાઈથી તા. 30 મી જુલાઈ સુધી સ્વૈચ્છીક લોકડાઉન કરવાની પાલિકાએ અપીલ કરી છે. તા. 13 થી 20મી જુલાઈ સુધી સહકાર આપનાર શહેરીજનોને વધુ એકવાર અપીલ કરવામાં આવી છે. નડિયાદમાં વધતા જતા કોરોનાના કેસોને લઇ અપીલ કરવામાં આવી છે. બપોરે 12 પછી ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. નડીયાદ નગરપાલિકા દ્વારા વધુ 10 દિવસના જનતા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
તારીખ 21મી જુલાઇથી 30મી જુલાઇ દરમિયાન સવારે 8 થી 12 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે. 13 થી 20 જુલાઈ 7 દિવસનું જનતા લોકડાઉન આજે પૂરું થઈ રહ્યું છે. ત્યારે વધુ 10 દિવસના જનતા લોકડાઉનમાં બપોર બાદ બજારો બંધ રહેશે. વધતા કોરોનાના સંક્રમણ અને મૃત્યુ આંકથી નડીઆદ -ખેડા જિલ્લો અને રાજ્ય ચિંતિત છે. નડિયાદમાં કન્ટેન્મેન્ટ ઝોન અને કોરોના પોઝિટિવ કેસ રોકવામાં અગાઉનું જનતા લોકડાઉન નિષ્ફળ રહ્યું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion