શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે આવ્યા મોટા રાહતના સમાચાર, જાણો વિગત
છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના નવા કેસો 168 નોંધાયા છે. જેની સામે 184 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 3 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસો સૌથી વધુ છે, ત્યારે અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસનો આંકડો ઘટ્યો છે. હાલ શહેરમાં કોરોના એક્ટિવક કેસનો આંકડો ૩૦20 ઉપર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના નવા કેસો 168 નોંધાયા છે. જેની સામે 184 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 3 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩૬,264 તો મોતનો આંકડો ૧૮૦3 પર પહોંચી છે. શહેરમાં કુલ 31,441 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
શહેરમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ઝોન દીઠ(11 ઓક્ટોબરની અખબારી યાદી પ્રમાણે)
ઝોન એક્ટિવ કેસ
મધ્ય 293
પૂર્વ 364
પશ્ચિમ 559
ઉત્તર પશ્ચિમ 533
દક્ષિણ પશ્ચિમ 462
ઉત્તર 327
દક્ષિણ 501
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion