શોધખોળ કરો

2000 Note : રૂ. 2000ની નોટ જમા કરાવનારા સાવધાન! આવી શકે છે ITની નોટિસ

જો તમે 2000 રૂપિયાની નોટો બદલવા માટે બેંક પહોંચી રહ્યા છો તો તમને બે હજાર રૂપિયાની 10 નોટ બદલાવી શકાય છે, પરંતુ શું તમે જાણો છો કે કયા કિસ્સામાં તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ પણ મળી શકે છે?

Rs 2000 Note: ભારતીય રિઝર્વ બેંક દ્વારા 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારથી લોકો તેમની 2000 રૂપિયાની નોટ બદલવા અથવા તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે બેંકમાં પહોંચી રહ્યા છે. બીજી તરફ, જો તમે 2000 રૂપિયાની નોટો બદલવા માટે બેંક પહોંચી રહ્યા છો તો તમને બે હજાર રૂપિયાની 10 નોટ બદલાવી શકાય છે, પરંતુ શું તમે જાણો છો કે કયા કિસ્સામાં તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ પણ મળી શકે છે? આવો જાણીએ તેના વિશે...

રૂ. 2000

જો RBI દ્વારા આપવામાં આવેલી લિમિટ પ્રમાણે કોઈ લેવડ દેવડ કરતા હોય તો આવકવેરા વિભાગની નોટિસ આવતી નથી. પરંતુ જો બેંક ખાતામાં વધુ ટ્રાન્ઝેક્શન થાય છે તો આવકવેરા વિભાગ પાસેથી પ્રશ્નો પૂછી શકે છે. ટેક્સ નિષ્ણાતોના મતે જો સેવિંગ્સ એકાઉન્ટ અથવા કરન્ટ એકાઉન્ટમાં મોટી રકમ જમા કરાવવામાં આવે તો પૈસા ક્યાંથી આવ્યા તે અંગે સવાલો ઉભા થઈ શકે છે.

આવકવેરા વિભાગ

બીજી તરફ, જો સેવિંગ ખાતામાં 10 લાખ રૂપિયાથી વધુની રોકડ જમા થાય છે, તો આવકવેરા વિભાગ આ ટ્રાન્ઝેક્શન પર પ્રશ્નો પૂછી શકે છે. જો ખાતામાં રૂ. 10 લાખથી વધુની રોકડ જમા થાય છે, તો તેની જાણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન (SFT) સ્ટેટમેન્ટમાં કરવામાં આવે છે. આ સિવાય જ્યારે ચાલુ બેંક ખાતામાં 50 લાખ રૂપિયાથી વધુ રોકડ જમા થાય ત્યારે SFTમાં રિપોર્ટિંગ કરવામાં આવે છે.

ઈન્કમ ટેક્ષ 

બીજી બાજુ, જો તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળે તો ગભરાવાની જરૂર નથી. તેનો અર્થ એ નથી કે, તમારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે. આવકવેરા વિભાગ પૂછી શકે છે કે, આ પૈસા ક્યાંથી આવ્યા? તેના વિશેની તમામ સાચી માહિતી આપવી પડશે અને પૈસાનો સ્ત્રોત જણાવવો પડશે. જો કે, જો પૈસાના સ્ત્રોતનો ખુલાસો ન થાય તો કાર્યવાહી થઈ શકે છે.

'દુકાનદારો 2000ની નોટ લેવાની ના પાડી શકે નહીં, જો ના પાડે તો.... ', RBI ગવર્નરનું મોટું નિવેદન

2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર હોવાની જાહેરાત બાદ લોકોમાં ટેન્શન છે કે હવે તેઓ આ નોટનું શું કરશે. જોકે, આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટને લઈને ગભરાવાની જરૂર નથી. હવે તમે બેંકમાં 2000 ની નોટ બદલી શકો છો, તેમજ કોઈપણ દુકાનમાં જઈ શકો છો, તમે આ નોટથી સરળતાથી સામાન ખરીદી શકો છો કારણ કે કોઈ પણ દુકાનદાર આ નોટ લેવાની ના પાડી શકે નહીં.

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટ રજૂ કરવાનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયો છે. 2000 રૂપિયાની નોટો બદલી અને જમા કરાવવામાં આવશે તેવી વ્યવસ્થા હેઠળ જ સામાન્ય લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. બેંકોને આ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તમે દુકાનમાં જઈને 2000ની નોટનો સામાન સરળતાથી ખરીદી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget