શોધખોળ કરો

8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 

ભારત સરકારે તાજેતરમાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે, જેના કારણે અંદાજે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને તેમના પગાર અને પેન્શનમાં વધારો થવાની અપેક્ષા છે.

8th Pay Commission Formula: ભારત સરકારે તાજેતરમાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે, જેના કારણે અંદાજે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને તેમના પગાર અને પેન્શનમાં વધારો થવાની અપેક્ષા છે. આ કમિશન હેઠળ પગાર વધારાનો મુખ્ય આધાર ફિટમેન્ટ ફેક્ટર હશે, જે કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ ગુણક તરીકે કામ કરે છે.

8મા પગારપંચની ફોર્મ્યુલા

વાસ્તવમાં, કોઈપણ પગાર પંચમાં પગાર અને પેન્શન વધારવા માટેનું સૌથી મહત્વનું પરિબળ એ ફિટમેન્ટ ફેક્ટર છે. આ એક ગુણક છે જેનો ઉપયોગ કર્મચારીઓના હાલના મૂળભૂત પગારમાં વધારો કરવા માટે થાય છે. 7માં પગાર પંચમાં આ પરિબળ 2.57 હતું, જેના કારણે કર્મચારીઓના પગારમાં સરેરાશ 23.55 ટકાનો વધારો થયો હતો. હવે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 8માં પગાર પંચમાં, આ પરિબળને 2.28 થી 2.86ની વચ્ચે રાખવામાં આવી શકે છે, જેના કારણે કર્મચારીઓને 20 ટકાથી 50 ટકાના પગારમાં વધારો થવાની આશા છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો વર્તમાન મૂળ પગાર રૂ. 18,000 છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.86 છે, તો સંશોધિત મૂળ પગાર રૂ. 51,480 હશે.

8મા પગાર પંચ વિશે મોટી વાતો

8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026થી લાગુ થવાની અપેક્ષા છે. લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો આનો લાભ મેળવશે. પગારની સાથે 8મા પગાર પંચમાં DA, HRA, TA, મેડિકલ, એજ્યુકેશન વગેરે જેવા વિવિધ ભથ્થાં પણ વધારી શકાય છે.

8મું પગાર પંચ શા માટે મહત્વનું છે ?

8મા પગાર પંચની રચના એ સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે તેમના પગાર અને પેન્શન વધારવાની સાથે તેમના જીવનધોરણને સુધારવામાં મદદ કરશે. આ કમિશન મોંઘવારી અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પગાર માળખામાં જરૂરી ગોઠવણો કરશે, જેથી કર્મચારીઓને તેમના કામ પ્રમાણે યોગ્ય વળતર મળી શકે.

8મું પગાર પંચ લાગુ ક્યારથી થશે ?

7મા પગાર પંચનો સમયગાળો 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેથી, 1 જાન્યુઆરી, 2026 થી 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે, કેટલાક અહેવાલો અનુસાર, તેમાં વિલંબ થઈ શકે છે. 16 જાન્યુઆરી, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચને મંજૂરી આપી હતી.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
Advertisement

વિડિઓઝ

Mumbai Rain: મુંબઈમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, રેલવે સેવા થઈ પ્રભાવિત, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : જમીનનું વળતર સારું મળવાના સંકેત
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ જંતુ
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓએ કેટલા લૂંટ્યા?
Anand Murder : આણંદમાં પૂર્વ કાઉન્સિલરની હત્યાથી ખળભળાટ, પોલીસે હાથ ધરી તપાસ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
જમીન સંપાદન વિવાદો ટાળવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આ નવી સમિતિ નક્કી કરશે બજાર ભાવ
જમીન સંપાદન વિવાદો ટાળવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આ નવી સમિતિ નક્કી કરશે બજાર ભાવ
ટ્રંપના ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી
ટ્રંપના ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન, સિરાજ અને ઐયરને પડતા મૂકાયા
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન, સિરાજ અને ઐયરને પડતા મૂકાયા
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget