![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી
સુરતના નાયરાના પેટ્રોલ પંપ પર પણ ડિઝલ નથીના પાટિયા લાગ્યા છે. ડિઝલ નથી ના બોર્ડ લાગતા હજારો વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.
![પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી Amid rumors of shortage of petrol-diesel, a long line of farmers lined up in this area of Gujarat to fill up petrol-diesel પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/16/cb783d652ff82e04a534d63b352ee625_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સમગ્ર દેશમાં અનેક જગ્યાએ પેટ્રોલ – ડીઝલના અછતના સમાચાર સામે આવ્યા છે ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાતા અનેક જગ્યાએ લોકો પેટ્રોલ ડીઝલ ભરાવા માટે પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલની અછત હોવાની વાત વચ્ચે સાબરકાંઠામાં પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઈન લાગી છે. હિંમતનગરના ગઢોડા ખાતેના પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને ડીઝલ માટે પહોંચ્યા હતા.
સુરતના નાયરાના પેટ્રોલ પંપ પર ડિઝલ નથીના પાટિયા લાગ્યા છે. ડિઝલ નથી ના બોર્ડ લાગતા હજારો વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. સુરતમાં દૈનિક 60 લાખ લિટર પેટ્રોલ- ડિઝલની જરૂરિયાત છે. પેટ્રોલપંપ સંચાલકોનો દાવો છે કે ઓઈલ કંપનીઓએ પુરવઠો ઓછો કરી નાંખતા ડિઝલનું સંકટ ઉભુ થયું છે.
રશિયા- યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. સરકારે એકસાઈઝ ડ્યુટી ઓછી કરી પેટ્રોલ-ડિઝલમાં રાહત આપી છે. જોકે ઓઈસ માર્કેટિંગ કંપનીઓને 21 રૂપિયા પ્રતિ લિટર ખોટ જતી હોવાનો દાવો કરાયો છે. સુરત શહેરમાં નાયરાના પેટ્રોલપંપો પર ચાર- પાંચ દિવસથી ડિઝલની અછત વર્તાઈ રહી છે. ખાનગી કંપનીઓના પેટ્રોલપંપ પર સમસ્યા વિકટ છે.
જોકે ઈંડિયન ઓઈલ અને સેલના પંપ પરથી હાલ પેટ્રોલ- ડિઝલનો જથ્થો મળી રહ્યો છે. સુરતમાં 100 પેટ્રોલ પંપ આવેલા છે. જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 400થી વધુ પેટ્રોલપંપો આવેલા છે.
ઘણા પેટ્રોલ પંપ પર ખૂટી ગયો છે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો. એવામાં રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇનું કહેવું છે કે, લોકો અફવા પર ધ્યાન ન આપે. કનુ દેસાઈના મતે જ્યારે વીજળીની કટોકટી હતી, ત્યારે પણ આવી જ અફવાઓ ઉડી હતી. જેથી પેટ્રોલ-ડીઝલના અંગે પણ સરકાર વ્યવસ્થા કરશે. તો, વીજળી ન મળતી હોવાના સવાલના જવાબમાં દાવો કર્યો કે, કયાંક અડધો કલાક વીજળી જતી રહી હશે, પણ પહેલા તો દિવસોના દિવસો વીજળી ગૂલ રહેતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)