શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

50 હજાર કરોડના માલિક ભારતીય ઉદ્યોગપતિને ‘બ્લેક’ હોવાથી અમેરિકાની રેસ્ટોરન્ટમાંથી સપરિવાર બહાર કાઢી મૂકાયા.......

કુમાર મંગલમની દીકરી અનન્યાએ અમેરિકાની આ રેસ્ટોરન્ટ સામે ગંભીર આરોપ મૂકવતી ટ્વીટ કરી તેના કારણે આ ઘટના પ્રકાશમાં આવી છે.

ન્યૂયોર્કઃ અમેરિકામાં રંગભેદની સમસ્યા ગંભીર છે. આ વાતનો પુરાવો આપતી ઘટના ભારતના ટોચના ઉદ્યોગપતિ અને બિઝનેસમેન કુમાર મંગલમ્ બિરલા સાથે બની છે. બિરલા પરિવાર અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી સ્કોપા રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો ત્યારે બ્લેક હોવાથી તેમને ખાવાનું નહોતું અપાયું. ત્રણ કલાક બેસાડી રખાયા પછી બિરલા અને તેના પરિવારને બહાર કાઢી મૂકાયા હતા. કુમાર મંગલમની દીકરી અનન્યાએ અમેરિકાની આ રેસ્ટોરન્ટ સામે ગંભીર આરોપ મૂકવતી ટ્વીટ કરી તેના કારણે આ ઘટના પ્રકાશમાં આવી છે. અનન્યાએ કહ્યું હતું કે વેઈટરે બિરલા પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું. બિરલા પરિવાર ભારતમાં ટોચના ઉદ્યોગપતિઓમાં સ્થાન પામે છે અને 50 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. કુમાર મંગલમ્ બિરલાની દીકરી અનન્યા બિરલા ગાયિકા છે. અનન્યાએ ટ્વિટરમાં લખ્યું છે કે, કેલિફોર્નિયામાં આવેલી સ્કોપા રેસ્ટોરન્ટે તેને અને તેના પરિવારને બહાર કાઢી મૂક્યા હતા. રંગભેદના કારણે અમેરિકન રેસ્ટોરન્સમાં તેની સાથે અત્યંત ખરાબ વર્તન થયું હતું. રેસ્ટોરન્ટ ગ્રાહકો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે, જે બિલકુલ યોગ્ય નથી. અનન્યાએ સ્કોપા રેસ્ટોરન્ટના માલિકને ટેગ કરીને બીજી ટ્વિટમાં લખ્યું કે, તેણે રેસ્ટોરન્ટમાં ૩ કલાક સુધી ભોજનની રાહ જોઈ હતી. વેઈટર જોશુઆ સિલ્વરમેને મારી મમ્મી સાથે ખૂબ જ તોછડું વર્તન કર્યું હતું. અનન્યાની ટ્વિટ પછી તેમની મમ્મી નીરજા બિરલાએ પણ ટ્વીટરમાં રેસ્ટોરન્ટના વર્તનની ઝાટકણી કાઢી હતી. કુમાર મંગલમ્ બિરલાના પુત્ર આર્યમાન બિરલાએ પણ અનન્યાની ટ્વિટને રિટ્વિટ કરતા કહ્યું હતું કે, અમેરિકામાં રંગભેદ હજુય જોવા મળે છે. બિરલા પરિવારની ટ્વિટ્સ પછી ભારતની ઘણી સેલિબ્રિટીઝે તેમના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. રેસ્ટોરન્ટ કે રેસ્ટોરન્ટના માલિકે આ અંગે કોઈ જ જવાબ આપ્યો નતી કે માફી માગી નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget