શોધખોળ કરો
Advertisement
સોના-ચાંદીનાં ઘરેણાંની ખરીદી માટે પાન-આધાર આપી KYC ફરજિયાત કરાયું ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે.
નવી દિલ્હીઃ સોનાના ઘરેણાંની ખરીદીને લઈને તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક અહેવાલ વાયરલ થયા હતા કે નાની રમકનું સોનું ખરીદવા પર પણ તમારે પાન અને આધાર કાર્ડ આધારિત કેવાઈસી કરાવવી જરૂરી હશે. સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ આ દાવાને ભ્રામક ગણાવ્યો છે. પીઆઈબી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આવી કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.
પીઆઈબીએ કહ્યું કે, નોટિફિકેશન અનુસાર માત્ર 10 લાખ રૂપિયાથી વધારાની રકમનું સોનું ખરીદવા પર જ KYC કરાવવું જરૂરી છે. જ્યારે સોશિયલ મીડિયા પર એેવું કહેવામાં આવ્યું છે કે, 2 લાખથી ઉપરની રોકડ રકમમાં સોનું ખરીદવા પર કેવાઈસી કરાવવું ફરજિયાત હશે.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion