શોધખોળ કરો

pan aadhar linking: પાન કાર્ડનું આધારકાર્ડ સાથે લિંક કરવાની તારીખ લંબાવાય, જાણો શું છે નવી ગાઇડ લાઇન અને લિંક ન કરવાથી શું થશે નુકસાન

કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતાં એક વખત ફરી આધારકાર્ડ અને પાનકાર્ડને લિંક કરવાની તારીખ વધારી દીધી છે. આ પહેલા લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી.

pan aadhar linking: કેન્દ્ર સરકારે લોકોને  રાહત આપતાં એક વખત ફરી આધારકાર્ડ અને પાનકાર્ડને લિંક કરવાની તારીખ વધારી દીધી છે. આ પહેલા લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી. 

કેન્દ્ર સરકારે બે સૌથી મહત્વના દસ્તાવેજ આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખને એકવાર ફરી લંબાવી છે. તેની ડેડલાઇન 6 મહિના સુધીની રાખવામાં આવી છે.  હવે આપ 31 માર્ચ 2022 સુધીમાં આ બંને મહત્વના ડોક્યુમેન્ટસને લિંક કરી શકો છો. તેના પહેલા તેની ડેડલાઇન  30 સપ્ટેમ્બર 2021એ ખતમ થઇ રહી છે. 

31 માર્ચ 2022 છે ડેડલાઇન
આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની ડેડલાઇન વધારવાની સાથે આવકવેરા કાયદા હેઠળ દંડની પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે બેનામી મિલકતોના વ્યવહારો અંગે સક્ષમ અધિકારી દ્વારા નોટિસ જારી કરવા અને ઓર્ડર પસાર કરવાની છેલ્લી તારીખ પણ લંબાવી છે. જો કે, કોઈપણ અસુવિધા ટાળવા માટે, આ બંને દસ્તાવેજો શક્ય તેટલી વહેલી તકે લિંક કરી દેવા હિતાવહ છે. 

આટલો આપવો પડી શકે છે દંડ
પાનકાર્ડની જરૂરત  બેન્કનું ખાતું ખોલાવવા, બેન્કિંગ  ટ્રાન્જેકશન, મ્યુચુઅલ ફંડ ટ્રાજેકશન, સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટમાં પડે છે. જો આપે 31 માર્ચ 2022 સુધી પણ તેને આધાર કાર્ડ સાથે લિંક ન કર્યું તો 50.,000 કે તેનાથી વધુ બેન્કિંગ ટ્રાન્જિંકશન પર રોકાણકારોએ 10,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. આટલું જ નહીં જો આધારકાર્ડ અને પાનકાર્ડ બંને લિંક નહીં હોય તો બેન્ક દ્રારા ડબલ ડીટીએસ કપાઇ શકે છે. 

આ મુશ્કેલીનો કરવો પડી શકે છે સામનો
જો આજદિન સુધી આપે આ બે મહત્વના ડોક્યુમેન્ટસ પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક નથી કરાવ્યાં તો આપને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ઇન્કમ ટેક્સ એક્ટ 139AA હેઠળ  આપનું પાનકાર્ડ  આધાર સાથે લિંક ન થતાં પાન કાર્ડને ઇનવેલિડ પણ માનવામાં આવશે ઉપરાંત આધાર કાર્ડ અને પાન કાર્ડ  લિંક ન હોવાથી આપ આઇટી રિર્ટન પણ ફાઇલ નહીં કરી શકો. આપનું ટેક્સ રિફંડ પણ ફસાઇ શકે છે.જો આપ આ પરેશાનીથી બચવા માંગતાં હો તો તરત જ આધારકાર્ડ સાથે પાનકાર્ડને લિંક કરી દો. જે આપના માટે હિતાવહ અને સુવિધાપુર્ણ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.