શોધખોળ કરો

Income Tax Refund Scam: ફેક મેસેજને લઇને ઇન્કમટેક્સ વિભાગની ચેતવણી, ટેક્સ રિફંડ કૌભાંડથી બચવાની આપી સલાહ

Income Tax Refund Scam: ટેક્સ વિભાગે મોબાઇલ ફોન પર આવનારા ટેક્સ રિફંડના એપ્રુવલના મેસેજથી બચવાની સલાહ આપી હતી

Income Tax Refund Scam:  આવકવેરા વિભાગે એવા કરદાતાઓને (Taxpayers)  ચેતવણી આપી છે જેઓ આવકવેરા રિટર્ન (Income Tax Return)  ફાઇલ કર્યા પછી આવકવેરા રિફંડની રાહ જોઈ રહ્યા છે. ટેક્સ વિભાગે આવા કરદાતાઓને ફેક મેસેજથી બચવાની સલાહ આપી છે. ટેક્સ વિભાગે મોબાઇલ ફોન પર આવનારા ટેક્સ રિફંડના એપ્રુવલના મેસેજથી બચવાની સલાહ આપી હતી. આવકવેરા વિભાગે તેને કૌભાંડ ( Scam) ગણાવ્યું છે.

પોપ-અપ સંદેશાઓથી સાવધ રહો

આવકવેરા વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને કરદાતાઓને નકલી પોપ-અપ મેસેજનો શિકાર ન બનવાની સલાહ આપી છે. તેને સ્કેમ એલર્ટ ગણાવતા વિભાગે કહ્યું કે આવકવેરા વિભાગ ક્યારેય પોપ-અપ વિન્ડો દ્વારા કરદાતાઓનો સંપર્ક કરતું નથી. વિભાગે કરદાતાઓને કહ્યું છે કે જો તેઓને તેમના મોબાઈલ ફોન પર આવા શંકાસ્પદ પોપ-અપ મેસેજ મળે છે, તો તેઓએ તરત જ તેને બંધ કરી દેવો જોઈએ. ઉપરાંત, આવા મેસેજ મળવા પર, http://incometaxindia.gov.in/pages/report-phishing.aspx પર જાવ અને તેના વિશે ફરિયાદ કરો. ટેક્સ વિભાગે કરદાતાઓ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. કરદાતાઓ 18001030025/18004190025 પર જઈને આવા પોપ-અપ મેસેજ સામે તેમની ફરિયાદ પણ નોંધાવી શકે છે.

ટેક્સ રિફંડની એપ્રુવલના નામે કરાઇ રહી છે છેતરપિંડી

આવકવેરા વિભાગને એવી ફરિયાદો મળી છે કે કરદાતાઓને ટેક્સ રિફંડની મંજૂરી માટે લલચાવતા પોપ-અપ મેસેજ મળી રહ્યા છે. આવા મેસેજમાં લખેલું હશે કે તમારું 15,000 રૂપિયાનું ઈન્કમ ટેક્સ રિફંડ મંજૂર થઈ ગયું છે અને આ રકમ તમારા ખાતામાં જલ્દી જમા થઈ જશે. મેસેજમાં એક એકાઉન્ટ નંબર લખવામાં આવે છે જેને વેરિફાઈ કરવાનું કહેવામાં આવે છે. અને જો આ એકાઉન્ટ નંબર સાચો ન હોય તો તમને એક લિંક પર જઈને બેંક ખાતાની વિગતો અપડેટ કરવાનું કહેવામાં આવે છે. અને આ તે છે જ્યાં કરદાતાઓ સાથે મોટી છેતરપિંડી થાય છે. કોઈ વ્યક્તિ આ લિંક પર ક્લિક કરતાની સાથે જ તેનો ફોન હેક થઈ જાય છે અને તેના એકાઉન્ટમાંથી તમામ પૈસા સાયબર ફ્રોડ દ્વારા ઉપાડી લેવામાં આવે છે.

આવકવેરા વિભાગની સલાહ

આ જ કારણ છે કે આવકવેરા વિભાગે કરદાતાઓને સલાહ આપી છે કે તેઓ આવા મેસેજનો શિકાર ન બને અને મેસેજમાં આપેલી લિંક પર ક્લિક ન કરે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget