શોધખોળ કરો
2025 સુધી પાંચ લાખ કરોડની ઇકોનોમીનું લક્ષ્યઃ ઇકોનોમિક સર્વે
વાસ્તવમાં સામાન્ય બજેટના એક દિવસ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો હતો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકાર ભારતીય ઇકોનોમિકને પાંચ લાખ કરોડ પહોંચાડવાનું લક્ષ્ય સાથે કામ કરી રહી છે. આ ઝલક આર્થિક સર્વેમાં જોવા મળ્યુ હતું. વાસ્તવમાં સામાન્ય બજેટના એક દિવસ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ વર્ષ સુધી આઠ ટકાના દરે વિકાસ હાંસલ કરવાની સ્થિતિમાં ભારત પાંચ લાખ કરોડની અર્થવ્યવસ્થા બની શકે છે. જોકે, આ સાથે અર્થવ્યવસ્થાની આ ઝડપને જાળવી રાખવો ખૂબ પડકાર છે. મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે આ પડકારનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, દેશમાં રોકાણ વધારવાના ઉપાયો પર ભાર મુકવો. આવનારા વર્ષમાં રોકાણ અર્થવ્યવસ્થાનો ડ્રાઇવર બની શકે છે. જેનાથી ડિમાન્ડ વધારવામાં મદદ મળશે. તે સિવાય નોકરીઓના ઉત્પાદનમાં મદદ મળશે.
વધુ વાંચો





















