શોધખોળ કરો

Bank Employees: બેંક કર્મચારીઓને સપ્તાહમાં બે દિવસ મળશે રજા! એસબીઆઈ ચેરમેને કહી આ વાત

5-Day Work Week: હાલમાં બેંક કર્મચારીઓને દર મહિનાના બીજા અને ચોથા શનિવારે તો રજા મળે છે, પરંતુ તેમણે પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે કામ પર જવું પડે છે...

બેંક કર્મચારીઓ લાંબા સમયથી પાંચ દિવસના સપ્તાહની માંગ કરી રહ્યા છે. જોકે હજુ સુધી આ દિશામાં કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. આ દરમિયાન શનિવારે એસબીઆઈ ચેરમેનની ટિપ્પણી પછી આ મુદ્દો ફરીથી એકવાર હેડલાઈન્સમાં આવી ગયો છે.

આ પહેલાં 2024ની શરૂઆતમાં 5 દિવસના સપ્તાહ (5-ડે વર્ક વીક)ની માંગે જોર પકડ્યું હતું. ત્યારબાદ માર્ચ મહિનામાં ખબર આવી હતી કે 5-ડે વર્ક વીકના માર્ગની બધી અડચણો દૂર થઈ ગઈ છે અને હવે માત્ર નાણાં મંત્રાલયની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. જોકે ત્યારબાદથી અત્યાર સુધી 4 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ બેંક કર્મચારીઓનો 5 દિવસના સપ્તાહનો ઇન્તેજાર સમાપ્ત થઈ રહ્યો નથી.

ત્રિમાસિક પરિણામ પછી પ્રેસ કોન્ફરન્સ

શનિવારે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈના ચેરમેન દિનેશ ખારાને આ વિશે સવાલ પૂછવામાં આવ્યો. તેમને પૂછવામાં આવ્યું કે બેંક કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલી 5 દિવસના સપ્તાહની માંગ પર શું અપડેટ છે. એસબીઆઈ ચેરમેને આ સવાલનો જવાબ ટાળ્યો અને કહ્યું કે આ આ મીટિંગનો મુદ્દો નથી. ખારા એસબીઆઈના પ્રથમ ત્રિમાસિકના પરિણામની જાહેરાત બાદ પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા.

સૌથી વધુ એસબીઆઈના કર્મચારીઓ

ખરેખર બેંક કર્મચારીઓના યુનિયનમાં એસબીઆઈમાં કામ કરનારાઓની સંખ્યા સૌથી વધુ છે. બેંક કર્મચારીઓના યુનિયનનો બેંકોના સંગઠન આઈબીએ એટલે કે ઇન્ડિયન બેંક એસોસિએશન સાથે માર્ચમાં એક સમજૂતી થઈ હતી. સમજૂતી બાદ કર્મચારીઓના યુનિયને કહ્યું હતું કે બેંક કર્મચારીઓના પગારમાં વધારો અને મહિનાના દરેક શનિવારે પણ રવિવારની જેમ રજા માટે લાંબો ઇન્તેજાર નહીં કરવો પડે.

માર્ચમાં યુનિયને કર્યો હતો આ દાવો

હાલમાં બેંક કર્મચારીઓને મહિનાના બે સપ્તાહ બે-બે રજાઓ મળે છે, પરંતુ બાકીના બે સપ્તાહમાં તેમણે 6-6 દિવસ કામ કરવું પડે છે. બેંક કર્મચારીઓને બધા રવિવાર ઉપરાંત બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, જ્યારે તેમણે પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે સામાન્ય કામકાજના દિવસની જેમ આખો દિવસ કામ કરવું પડે છે. આને લઈને લાંબા સમયથી કર્મચારીઓના સંગઠન અને બેંકોના સંગઠન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.                                   

ટોપ સ્ટોરી

પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget