શું નિવૃત્ત સરકારી કર્મચારીઓને DA અને પગાર પંચનો લાભો નહીં મળે? જાણો શું છે હકીકત
8th Pay Commission:ફાઇનાન્સ એક્ટ 2025 હેઠળ, નિવૃત્ત સરકારી કર્મચારીઓ તેમના ડીએ વધારા અને 8માં પગાર પંચના લાભો ગુમાવશે. આ મેસેજ વાયરલ થયા બાદ પેન્શનર્સમાં વ્યાપક ચિંતા ફેલાઈ ગઈ છે. જાણીએ આ મેસેજમાં કેટલી સત્યતા છે.

8th Pay Commission: કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ પછી, વોટ્સએપ સહિત સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી ફરતો થઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે નાણા અધિનિયમ 2025 હેઠળ નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) વધારો અને કેન્દ્રીય પગાર પંચ (CPC) લાભો જેવા લાભો બંધ કરી દીધા છે. જોકે, આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. સરકારે નાણા અધિનિયમ 2025 હેઠળ આવી કોઈ જોગવાઈનો સમાવેશ કર્યો નથી.
🚨 Will retired Govt employees stop getting DA hikes & Pay Commission benefits under the Finance Act 2025⁉️
— PIB Fact Check (@PIBFactCheck) November 13, 2025
A message circulating on #WhatsApp claims that the Central Government has withdrawn post-retirement benefits like DA hikes and Pay Commission revisions for retired… pic.twitter.com/E2mCRMPObO
હાલમાં વોટ્સએપ સહિત વિવિધ સોશિયલ મીડિયા એપ્સ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફાઇનાન્સ એક્ટ 2025 નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) વધારો અને પગાર પંચના લાભો અટકાવશે. આ દાવાએ નિઃશંકપણે લાખો પેન્શનરોને પરેશાન કર્યા છે. જોકે, સરકાર તરફથી સ્પષ્ટતાથી તેમને થોડી રાહત મળવાની અપેક્ષા છે. કેન્દ્ર સરકારની પ્રેસ એજન્સી, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ આ દાવાને નકારી કાઢ્યો છે અને સત્યની પુષ્ટિ કરી છે. તેણે લોકોને આવા ભ્રામક સંદેશાઓ પર વિશ્વાસ ન કરવા અને તેમને શેર કરતા પહેલા અધિકૃત સ્ત્રોતો સાથે તેમની સત્યતા ચકાસવા અનુરોધ કર્યો છે.
PIB દાવાની તપાસ કરી
PIB એ X પ્લેટફોર્મ પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આ દાવો ખોટો છે. વાયરલ વીડિયોમાં દર્શાવેલ નાણાકીય કાયદો ખોટો અને ગેરમાર્ગે દોરનારો છે. સરકારે પેન્શન લાભો સ્થગિત કરવાનો ઉલ્લેખ કરતી કોઈ સૂચના જાહેર કરી નથી."
PIB ફેક્ટ ચેકમાં જણાવાયું છે કે CCS (પેન્શન) નિયમો, 2021 ના નિયમ 37 માં એ હદ સુધી સુધારો કરવામાં આવ્યો છે કે જો કોઈ સરકારી કર્મચારીને કોઈપણ ગેરરીતિ માટે બરતરફ કરવામાં આવે છે, તો તેનું પેન્શન અને નિવૃત્તિ પછીના અન્ય લાભો જપ્ત કરવામાં આવશે. વધુમાં, નિયમિત નિવૃત્ત કર્મચારીઓને DA વધારો અથવા પગાર પંચના લાભો મળતા રહેશે. આ વર્ષના મે મહિનામાં, PIB એ CCS (પેન્શન) નિયમો, 2025 ના નિયમ 37 માં સુધારાની વિગતો આપતી એક પ્રેસ રિલીઝ કરી હતી.





















