શોધખોળ કરો

Yes Bankના ગ્રાહકોમાં ફફડાટ, RBIની જાહેરાત બાદ ATMની બહાર જોવા મળી લાંબી લાઈનો

ગુજરાત, મહારાષ્ટ્ર, અને રાજસ્થાન સહિત દેશના વિભિન્ન ભાગોમાં લોકો અડધી રાત્રે એટીએમની બહાર જોવા મળ્યા હતાં. જોકે ઘણી જગ્યાએ એટીએમ બંધ હતા

અમદાવાદ: RBI દ્વારા યસ બેન્ક પર પ્રતિબંધ મૂક્યા બાદ ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. અડધી રાતથી ખાતેદારો એટીએમમાંથી પૈસા કાઢવા માટે મોડી રાતે લાઈનમાં ઉભા રહી ગયા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર, અને રાજસ્થાન સહિત દેશના વિભિન્ન ભાગોમાં લોકો અડધી રાત્રે એટીએમની બહાર જોવા મળ્યા હતાં. જોકે ઘણી જગ્યાએ એટીએમ બંધ હતા જ્યારે ઘણી જગ્યાએ યસ બેન્કના એટીએમમાં કેશ નહોતી. આજે યસ બેન્કના શેરમાં 25 ટકાનો કડાકો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ બેન્કના બોર્ડ ઓફ ડાયરેકટર્સને ભંગ કરતા એડમિનિસ્ટ્રેટર એપોઈન્ટ કરી દીધા છે. આરબીઆઈએ આદેશ બાદ બેન્કના ગ્રાહકો 50,000 રૂપિયા જ ઉપાડી શકશે. આરબીઆઈના આ જાહેરાત બાદ યસ બેન્કના ગ્રાહોકમાં ફફડાટ જોવા મળ્યો હતો અને તેઓ એટીએમના ચક્કર લગાવી રહ્યા હતાં. એટીએમની બહાર હાજર લોકોએ કહ્યું હતું કે, અમને આની માહિતી આપવામાં આવી નહીં. પૈસા કાઢવા માંગતા હતા પરંતુ એટીએમમાં પૈસા જ નહોતાં. અમે મુશ્કેલીમાં છીએ હોળી આવી રહી છે. ફાઈનાન્સ મિનિસ્ટ્રીના સૂત્રોએ પ્રમાણે, એસબીઆઈ યસ બેન્કને બેલઆઉટ કરવા તૈયાર છે. ત્યારબાદ આરબીઆઈ અને સરકારની તરફથી યસ બેન્કને લઈ આ નિર્ણય લેવાયો હતો. હવે યસ બેન્કનું નેતૃત્વ આવતાં મહિને એસબીઆઈ દ્વારા નિમણૂંક કરાયેલા પ્રશાંત કુમાર કરશે. તેઓ એસબીઆઈના પૂર્વ ચીફ ફાઈનાન્સ ઓફિસર રહી ચૂક્યા છે. ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, યસ બેન્કના થાપણદારોના હિતોને સંપૂર્ણ સુરક્ષા અપાશે. ભયભીત થવાની કોઇ જરૂર નથી. નાણા મંત્રાલયના આદેશ પછી જારી કરેલા નિવેદનમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે, બેન્કની પુનઃરચના અથવા તો વિલીનીકરણ માટે આગામી થોડા દિવસમાં યોજના ઘડી કઢાશે. 30 દિવસના આર્થિક પ્રતિબંધનો ગાળો પૂરો થાય તે પહેલાં યોજનાને અંતિમ સ્વરૂપ અપાશે.
આગામી એક મહિના સુધી થાપણદાર બેન્કમાંથી રૂપિયા 50,000નો ઉપાડ જ કરી શકશે. ગ્રાહક બેન્કમાં ગમે તેટલાં ખાતાં ધરાવતો હશે પરંતુ તે રૂપિયા 50,000ની મર્યાદામાં જ ઉપાડ કરી શકશે. જો કોઇ થાપણદારના બેન્ક પાસે લેણા નાણા હશે તો સંબંધિત ખાતાઓમાં એડજસ્ટમેન્ટ કર્યા પછી જ તેને તે નાણાની ચુકવણી કરાશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI ની 211 દિવસની FD માં જમા કરાવો ₹2,00,000, જાણો તમને કેટલું વ્યાજ મળશે?
SBI ની 211 દિવસની FD માં જમા કરાવો ₹2,00,000, જાણો તમને કેટલું વ્યાજ મળશે?
Gold Silver Price Today: ઇરાન અમેરિકા યુદ્ધ વચ્ચે સોના ચાંદીની કિંમતમાં તેજી, જાણો લેટેસ્ટ કિંમત
Gold Silver Price Today: ઇરાન અમેરિકા યુદ્ધ વચ્ચે સોના ચાંદીની કિંમતમાં તેજી, જાણો લેટેસ્ટ કિંમત
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
Embed widget