Arvind Kejriwal Arrest LIVE: દિલ્હીના મંત્રી આતિશી સવારે 10 વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ, ઇડીને લઇને મોટો ખુલાસા કરાવાનો દાવો
Arvind Kejriwal Arrest LIVE: દિલ્હીના મંત્રી આતિશી સવારે 10 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં EDને લઈને ઘણા મોટા ખુલાસા કરવાનો દાવો કરવામાં આવ્યો છે

Background
Arvind Kejriwal Arrested in Liquor Policy Case LIVE :દિલ્હીના મુખ્યમંત્રી છ દિવસના ED રિમાન્ડ પર છે. ED આજથી તેમની પૂછપરછ કરશે. ED રિમાન્ડ પર જતા પહેલા કેજરીવાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તેઓ તેમના પદ પરથી રાજીનામું નહીં આપે. આ સાથે મંત્રી આતિષીએ જાહેરાત કરી છે કે તે આજે સવારે 10 વાગ્યે ED સામે કેટલાક મોટા ખુલાસા કરશે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ગુરુવારે ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ શુક્રવારે તેમને એમપી ધારાસભ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં કોર્ટે તેને છ દિવસના ED રિમાન્ડ પર મોકલી દીધા છે અને હવે તેને 28 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડ પર જતા પહેલા કેજરીવાલે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી રહેશે અને પદ પરથી રાજીનામું નહીં આપે. 23 માર્ચના આખા દિવસનું અપડેટ અહીં વાંચો
કેજરીવાલ મુખ્ય ષંડયંત્રકારી, 100 નહિ, 600 કરોડનું કૌભાંડ, ઇડીનો આરોપ
ઇડીએ મુખ્યમંત્રી કેજરીવાલને લિકર પોલીસીમાં ગરબડીના કેસમાં મુખ્ય આરોપી ગણાવ્યા છે. ઇડીએ કહ્યું કે, આ પાર્ટીને એક કંપનીની જેમ ચલાવે છે. પાર્ટીના સાઉથ લોબીથી 100 કરોડ નહિ પરંતુ 600 કરોડની રિશ્વત મળી છે અને તેને ગૌવા ચૂંટણીમાં આ રકમનો ઉપયોગ કર્યો છે. આરોપીના નિવેદન આ વાતને વધુ દ્રઢ કરે છે.
આ દેશમાં કોઇ સુરક્ષિત નહિ: સંજય રાઉત
શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું કે ભાજપ માટે ચૂંટણી કપરી છે. લોકોને કષ્ટ આપવાનું તેમનું અભિયાન ચાલુ રહેશે. આજે આ દેશમાં કોઇ સુરક્ષિત નથી.કોઇને પણ જેલમાં પુરી દેવામાં આવે છે. ભારતમાં જે પેર્ટન ચાલી રહી છે તે જ રશિયા અને ચીનમાં પણ ચાલી રહી છે. જનતાએ અરવિંદ કેજરીવાલને તેમના મુખ્યમંત્રી ચૂંટ્યાં છે. તો લોકો જ તેના ભાગ્યનો નિર્ણય કરી શકે.





















