શોધખોળ કરો

Mulayam health Update: મુલાયમ સિંહની તબિયત હજુ પણ વધુ ગંભીર, જાણો શું છે વધુ અપડેટ્,

સપાના સંરક્ષક મુલાયમ સિંહની હાલત સ્થિર છે. ડોકટરોની એક વિશેષ ટીમ તેમની દેખરેખ હેઠળ છે. બીજી તરફ હરિયાણાના પૂર્વ સીએમ ઓપી ચૌટાલાને તાવ અને પેટમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ મંગળવારે રાત્રે મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા હતા.

Mulayam health Update:સપાના  સંરક્ષક મુલાયમ સિંહની હાલત સ્થિર છે. ડોકટરોની એક વિશેષ ટીમ તેમની દેખરેખ હેઠળ છે. બીજી તરફ હરિયાણાના પૂર્વ સીએમ ઓપી ચૌટાલાને તાવ અને પેટમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ મંગળવારે રાત્રે મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત સ્થિર છે. તે વેન્ટિલેટર પર છે. બુધવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલે તેમનું હેલ્થ બુલેટિન બહાર પાડ્યું. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ બુધવારે મોડી સાંજે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સપા સંરક્ષકની હાલત જાણવા પહોંચ્યા હતા. અહીં તેમણે મુલાયમ સિંહ અને હરિયાણાના પૂર્વ સીએમ ઓપી ચૌટાલાની હાલત પણ જાણી. ચૌટાલાને તાવ અને પેટમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ મંગળવારે રાત્રે મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવની હાલત જાણ્યા બાદ આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે નેતાજીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે, તે જલ્દી સ્વસ્થ થઈ જાય.

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ મેદાંતા હોસ્પિટલમાં દાખલ યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહની તબિયત જાણવા ગયા હતા. તેજસ્વીએ કહ્યું કે તેમની તબિયતમાં થોડો સુધારો છે. તે CCUમાં છે.

આ પહેલા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર મુલાયમ સિંહ યાદવની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અખિલેશ યાદવ સાથે તેમના સ્વાસ્થ્ય વિશે વાત કરી હતી. બેઠક બાદ સીએમ ખટ્ટરે કહ્યું કે હું ઈચ્છું છું કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. તેમણે એમ પણ કહ્યું કે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા પણ અહીં દાખલ છે. હું તેને પણ મળ્યો છું. જાણવા મળી રહ્યું છે કે મુલાયમ સિંહની તબિયત છેલ્લા ઘણા મહિનાઓથી ખરાબ હતી. રવિવારે જ્યારે મેદાંતા હોસ્પિટલના ડોકટરોએ તેમને ICUમાં ખસેડ્યા ત્યારે તેમની સ્થિતિ વધુ નાજુક  હતી.

Kerala School Bus Accident: કેરળના પલક્કડ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત, બાળકો સહિત 9ના મોત અને 38 ઘાયલ

Kerala School Bus Accident: કેરળના પલક્કડ જિલ્લાના વદક્કંચેરી વિસ્તારમાં એક માર્ગ અકસ્માત થયો હતો. કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસ ક્રેશ થઈ ગઈ. આ બસ અકસ્માતમાં 9ના મોત થયા હતા. જ્યારે 38 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી ANIએ રાજ્ય મંત્રી એમબી રાજેશને ટાંકીને આ માહિતી આપી છે.

ટક્કર બાદ બસ ખીણમાં ખાબકી હતી

બુધવારે રાત્રે અહીં વડક્કંચેરી નજીક મંગલમ ખાતે શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી પ્રવાસી બસ પાછળથી KSRTC બસ સાથે અથડાઈ હતી. ટક્કર બાદ બસ ખીણમાં ખાબકી હતી. જેમાં નવ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. લગભગ 38 ઘાયલોને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણાની હાલત નાજુક છે.

આ લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા

 

મૃતકોમાં શાળાના શિક્ષક વિષ્ણુ વીકે, વિદ્યાર્થીઓ અંજના અજિથ, એમેન્યુઅલ સીએસ, દિયા રાજેશ, ક્રિસ વિન્ટરબોર્ન થોમસ, એલ્ના જોસ (વિદ્યાર્થી), અનૂપ (22), રોહિત રાજ (24) અને દીપુનો સમાવેશ થાય છે.

બુધવારે મોડી રાત્રે અકસ્માત થયો હતો

આ અકસ્માત નેશનલ હાઈવે 544 (NH-544) પર બુધવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે થયો હતો. પ્રવાસી બસ એર્નાકુલમની બેસિલિઓસ વિદ્યાનિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને ઊટી તરફ જઈ રહી હતી. KSRTC સુપરફાસ્ટ બસ કોટ્ટરક્કારાથી કોઈમ્બતુર જઈ રહી હતી. બંનેની ટક્કરથી આ અકસ્માત થયો હતો.

મોડી રાત્રે સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. ઘાયલોને પલક્કડ જિલ્લા હોસ્પિટલ, અલાથુર તાલુક હોસ્પિટલ અને ત્રિશૂરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ લોકોની ત્રિશૂરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

હરિકૃષ્ણન (22), અમેયા (17), અનન્યા (17), શ્રદ્ધા (15), અનીજા (15), અમૃતા (15), તનુશ્રી (15), હિન જોસેફ (15), જાનેમા (15) ખાનગી હોસ્પિટલમાં છે. થ્રિસુર, અરુણ કુમાર (38), બ્લાસન (18), અને એલ્સા (18)ની સારવાર ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં 'ટેન્કર રાજ' ?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બાબા
Hun To Bolish : હું તો બોલીશ : યુવાન બેકાર, સિનિયર સિટીઝનને નોકરી !
Ambalal Patel Prediction : રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat News: ભાજપના વધુ એક ધારાસભ્યએ લગાવ્યો સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું -
ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું - "જો યુદ્ધ બંધ નહીં થાય, તો કોઈ ટ્રેડ ડીલ નહીં થાય"
Embed widget