શોધખોળ કરો

નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ

Gujarat ST Bus Fare Hike: નિગમના સત્તાવાર આદેશ મુજબ, આ નવો ભાવ વધારો આજે તારીખ 31/12/2025 ની મધ્યરાત્રિથી, એટલે કે નવા વર્ષ 01/01/2026 ની શરૂઆત થતા જ અમલમાં આવશે.

Gujarat ST Bus Fare Hike: નવા વર્ષની શરૂઆત પહેલા જ ગુજરાતના મુસાફરોને થોડો આંચકો લાગ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એસ.ટી. બસના ભાડામાં વધારો (Fare Hike) કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમે મુસાફરી ભાડામાં 3% નો વધારો જાહેર કર્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ટૂંકા અંતરની મુસાફરી કરતા ગ્રામીણ નાગરિકો પર આ વધારાની કોઈ મોટી અસર નહીં થાય. આ નવા દરો આજ રાતથી જ લાગુ કરી દેવામાં આવશે.

આજ મધ્યરાત્રિથી લાગુ થશે નવું ભાડું

નિગમના સત્તાવાર આદેશ મુજબ, આ નવો ભાવ વધારો આજે તારીખ 31/12/2025 ની મધ્યરાત્રિથી, એટલે કે નવા વર્ષ 01/01/2026 ની શરૂઆત થતા જ અમલમાં આવશે. નિગમના જણાવ્યા અનુસાર, પરિવહન સેવાઓ (Transport Services) ને વધુ આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે આ નિર્ણય લેવો અનિવાર્ય હતો. રાજ્યમાં દરરોજ એસ.ટી. બસનો લાભ લેતા અંદાજે 27 લાખ મુસાફરોને આ નવું ભાડું અસર કરશે.

તમારા ખિસ્સા પર કેટલો બોજ પડશે? જાણો ગણિત

નિગમે આ ભાવ વધારામાં સામાન્ય મુસાફરો અને વિદ્યાર્થીઓનું ખાસ ધ્યાન રાખ્યું છે. આંકડા મુજબ લોકલ બસોમાં મુસાફરી કરતા 85% લોકો 48 કિલોમીટરની મર્યાદામાં જ મુસાફરી કરે છે.

0 થી 9 કિ.મી.: જે મુસાફરો 9 કિલોમીટર સુધીની ટૂંકી મુસાફરી કરે છે, તેમના ટિકિટ દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

10 થી 60 કિ.મી.: જે મુસાફરો 10 કિ.મી. થી લઈને 60 કિ.મી. સુધીની મુસાફરી કરે છે, તેમના ભાડામાં માત્ર 1 રૂપિયાનો નજીવો વધારો કરવામાં આવ્યો છે.


નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ


નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ

અન્ય રાજ્યો કરતા ગુજરાતનું ભાડું સસ્તું

ભાડામાં 3% નો વધારો થયો હોવા છતાં, પાડોશી રાજ્યોની સરખામણીએ ગુજરાત એસ.ટી.નું ભાડું (Bus Ticket Price) હજુ પણ ઘણું વ્યાજબી છે.

લોકલ બસ: ગુજરાતમાં પ્રતિ કિલોમીટર ભાડું 0.91 પૈસા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 1.68 રૂપિયા, ઉત્તર પ્રદેશમાં 1.30 રૂપિયા અને રાજસ્થાનમાં 1.00 રૂપિયો છે.

એક્સપ્રેસ બસ: ગુજરાતમાં એક્સપ્રેસ બસનો દર 0.97 પૈસા છે, જે અન્ય રાજ્યો કરતા ઘણો ઓછો છે.

નવી બસો અને ભરતી અંગે અપડેટ

મુસાફરોની સુવિધા માટે નિગમ સતત પ્રયત્નશીલ છે. છેલ્લા 14 મહિનામાં કાફલામાં 1475 નવી BS6 બસો ઉમેરવામાં આવી છે, જ્યારે આગામી વર્ષ 2025-26 ના બજેટમાં વધુ 2060 નવી બસો શરૂ કરવાનું આયોજન છે. આ ઉપરાંત ડિજિટલ પેમેન્ટ (Digital Payment) ને સરળ બનાવવા 3000 સ્માર્ટ ETM મશીનો પણ ફાળવવામાં આવ્યા છે. રોજગારીની વાત કરીએ તો, નિગમે તાજેતરમાં 2320 કંડક્ટરની ભરતી કરી છે અને ટૂંક સમયમાં 3084 ડ્રાઈવર તથા 1658 હેલ્પરની ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget