![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Election 2022: ગોધરાથી AIMIMએ કેમ હિન્દુ ઉમેદવારને આપી ટિકિટ, ઓવેસી આપ્યું કારણ
Gujarat Election 2022: ઓવૈસીએ કહ્યું કે કોંગ્રેસે 2014થી મોદીજી દ્વારા રજૂ કરેલા ફોર્મ્યુલાને સંપૂર્ણ રીતે અનુસર્યું, જેમાં ભારતીય રાજકારણમાંથી મુસ્લિમોને સંપૂર્ણપણે બાકાત રાખવાની વાત છે.
![Gujarat Election 2022: ગોધરાથી AIMIMએ કેમ હિન્દુ ઉમેદવારને આપી ટિકિટ, ઓવેસી આપ્યું કારણ Gujarat election 2022 asaduddin owaisi godhra candidate aimim slams bjp over no ticket to muslim candidate Gujarat Election 2022: ગોધરાથી AIMIMએ કેમ હિન્દુ ઉમેદવારને આપી ટિકિટ, ઓવેસી આપ્યું કારણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/01/5163fbb7f46829afd4d99b38639bd51a166988245441481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Election 2022: ઓવૈસીએ કહ્યું કે કોંગ્રેસે 2014થી મોદીજી દ્વારા રજૂ કરેલા ફોર્મ્યુલાને સંપૂર્ણ રીતે અનુસર્યું, જેમાં ભારતીય રાજકારણમાંથી મુસ્લિમોને સંપૂર્ણપણે બાકાત રાખવાની વાત છે.
પ્રથમ તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે જે બાદ બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. દરમિયાન, તે તમામ બેઠકો પર ચર્ચા જોરશોરથી ચાલી રહી છે જ્યાં સ્પર્ધા ખૂબ જ રસપ્રદ છે. ગુજરાતમાં આવી ઘણી બેઠકો છે જેના પર તમામ પક્ષોની નજર ટકેલી છે. આવી જ એક બેઠક ગોધરા પણ છે. જે હાલ ભાજપ પાસે છે. અહીં આ વખતે અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. જેના વિશે તેણે મીડિયા સમક્ષ વાત કરી છે.
'ભાજપે મુસ્લિમોને ટિકિટ કેમ ન આપી?'
ઈન્ડિયા ટીવીના એક ચૂંટણી કાર્યક્રમમાં ઓવૈસીએ ગુજરાત ચૂંટણીને લઈને તમામ સવાલોના જવાબ આપ્યા હતા. આ વખતે ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં 14 વિધાનસભા સીટો પર ચૂંટણી લડી રહી છે. આ ટીવી કાર્યક્રમ દરમિયાન જ્યારે ઓવૈસીને પૂછવામાં આવ્યું કે, તેમણે ગોધરામાં હિન્દુ ઉમેદવારને કેમ ઉભા રાખ્યા નથી, તો ઓવૈસીએ કહ્યું કે, કોંગ્રેસ પહેલા કહેતી હતી કે તેઓ ગોધરામાંથી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારશે, પરંતુ એવું થયું નહીં. એટલા માટે અમે અહીં મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. મોદીજી સૌના સાથ અને સૌના વિકાસની વાત કરે છે પરંતુ એક પણ મુસ્લિમને ટિકિટ આપતા નથી.
કોંગ્રેસે પર પણ આકરા પ્રહારો કર્યા હતા
ઓવૈસીએ કહ્યું કે ભાજપની ટિકિટથી માત્ર હિન્દુ જ જીતી શકે છે? કોંગ્રેસે 2014થી મોદીજી દ્વારા રજૂ કરાયેલી ફોર્મ્યુલાને સંપૂર્ણ રીતે અનુસરી હતી, જેમાં ભારતીય રાજકારણમાંથી મુસ્લિમોને સંપૂર્ણપણે બાકાત રાખવાની વાત છે. આજે લઘુમતી સમાજની વાત કોઈ કરતું નથી. કેન્દ્રીય કેબિનેટમાં એક પણ મુસ્લિમ મંત્રી નથી. ઓવૈસીએ કહ્યું કે ગુજરાતમાં મુસ્લિમોનો વિકાસ થયો નથી.
ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કરતાં ઓવૈસીએ કહ્યું કે બિલકિસ બાનોએ બધું જ સહન કર્યું અને તેના ગુનેગારોને છોડી દેવામાં આવ્યા. બિલ્કીસ બાનોના ગુનેગારોને સંસ્કારી ગણાવનારને ભાજપે ગોધરામાંથી ટિકિટ આપી હતી. જે વ્યક્તિ અનેક મુસ્લિમોની હત્યાનો દોષી છે તે જામીન પર બહાર આવ્યા બાદ મોદીના નામે વોટ માંગી રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)