શોધખોળ કરો

10 વર્ષે આવ્યો 'ન્યાય'! ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત, 38 ને પુરાવાના અભાવે છોડાયા

2016માં ગાયનું ચામડું ઉતારવાના બહાને 4 દલિત યુવાનોને કાર પાછળ બાંધીને બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો; દોષિતોને કેટલી સજા થશે તેનો નિર્ણય આવતીકાલે લેવાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઉના દલિતકાંડમાં 5 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા.
  • 10 વર્ષની કાનૂની લડત બાદ સેશન્સ કોર્ટનો ચુકાદો.
  • પૂરતા પુરાવાના અભાવે 38 આરોપીઓને નિર્દોષ મુક્ત.
  • દોષિતોની સજા પર આવતીકાલે અંતિમ દલીલો થશે.

સૌરાષ્ટ્રના ઉનામાં 2016 માં બનેલા ચકચારી અને આખા દેશને હચમચાવી મૂકનાર દલિતકાંડમાં આખરે એક દાયકાની લાંબી કાનૂની લડત બાદ સેશન્સ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. આજે (16 માર્ચ 2026) કોર્ટે આ કેસમાં 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે પૂરતા પુરાવાના અભાવે અન્ય 38 લોકોને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ મામલો 11 જુલાઈ 2016 નો છે, જ્યારે કથિત ગૌરક્ષકોએ ગાયની હત્યાનો આરોપ લગાવીને દલિત યુવાનોને કાર પાછળ બાંધીને જાહેરમાં ઢોર માર માર્યો હતો. હવે આવતીકાલે એટલે કે 17 માર્ચે દોષિતોની સજા પર અંતિમ દલીલો થશે અને ત્યારબાદ સજાની જાહેરાત કરવામાં આવશે.

શું હતો સમગ્ર મામલો?

11 જુલાઈ 2016 ના રોજ ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં એક અનુસૂચિત જાતિ (દલિત) પરિવારના 7 સભ્યો એક મૃત પશુનું ચામડું ઉતારી રહ્યા હતા. બરાબર એ જ સમયે પોતાને ગૌરક્ષક ગણાવતા કેટલાક લોકો ત્યાં ધસી આવ્યા હતા. તેમણે એવો પાયાવિહોણો આરોપ લગાવ્યો કે આ મૃત પશુ ગાય છે અને આ પરિવારે ગૌહત્યા કરી છે. બસ આ જ વાત પર તેમણે દલિત પરિવાર પર હુમલો કરી દીધો હતો.

ક્રૂરતાની તમામ હદો પાર કરી હતી

હુમલાખોરોએ અમાનવીયતા દાખવતા 4 દલિત યુવાનોને અર્ધનગ્ન કરી દીધા હતા અને તેમને એક ઝાયલો (Xylo) ગાડી પાછળ બાંધી દીધા હતા. ત્યારબાદ તેમને લાકડીઓ અને લોખંડના પાઇપથી બેરહેમીપૂર્વક ફટકારવામાં આવ્યા હતા. આટલું ઓછું હોય તેમ, આ યુવાનોને ઉના શહેરમાં લાવીને જાહેરમાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને માર મારવામાં આવ્યો હતો. આ ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર દેશમાં અને ખાસ કરીને અનુસૂચિત જાતિ સમુદાયમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

10 વર્ષ લાંબી કાનૂની લડત અને 5 દોષિતો

જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ આ ચુકાદા અંગે માહિતી આપતા જણાવ્યું કે, શરૂઆતમાં જ્યારે FIR નોંધાઈ ત્યારે તેમાં ઘણા બધા આરોપીઓના નામ સામેલ હતા. પરંતુ 10 વર્ષ સુધી ચાલેલી કોર્ટની લાંબી કાર્યવાહી, સાક્ષીઓની જુબાની અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે માત્ર 5 શખ્સોને જ આ ગુનામાં સંડોવાયેલા ગણીને દોષિત જાહેર કર્યા છે.

કોર્ટે જેમને દોષિત ઠેરવ્યા છે તેમના નામ નીચે મુજબ છે:

રમેશ જાદવ

રાકેશ જોશી

પ્રમોદ ગોસ્વામી

નાગજી ડાયા

બળવંત ગોસ્વામી

સજા અંગે આવતીકાલે નિર્ણય

કોર્ટે આ 5 આરોપીઓને દોષિત તો જાહેર કરી દીધા છે, પરંતુ તેમને કેટલી અને શું સજા થશે તેનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. આવતીકાલે 17 માર્ચ 2026 ના રોજ સરકારી અને બચાવ પક્ષના વકીલો સજાની મુદત અંગે કોર્ટમાં પોતાની આખરી દલીલો કરશે. આ દલીલો પૂરી થયા બાદ કોર્ટ પોતાનો અંતિમ ચુકાદો સંભળાવશે. બીજી તરફ, કેસમાં સામેલ અન્ય 38 આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતા કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂક્યા છે.

Frequently Asked Questions

ઉના દલિતકાંડમાં કોને દોષિત ઠેરવવામાં આવ્યા છે?

ઉના દલિતકાંડમાં 5 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આવતીકાલે તેમની સજા પર અંતિમ દલીલો થશે.

ઉના દલિતકાંડમાં કેટલા લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે?

પૂરતા પુરાવાના અભાવે 38 લોકોને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઉના દલિતકાંડ ક્યારે અને કયા ગામમાં થયો હતો?

આ મામલો 11 જુલાઈ 2016 નો છે, જ્યારે ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં દલિત યુવાનો પર હુમલો થયો હતો.

દલિત યુવાનો સાથે શું થયું હતું?

કથિત ગૌરક્ષકોએ દલિત યુવાનોને ગાયની હત્યાના ખોટા આરોપ હેઠળ કાર પાછળ બાંધીને જાહેરમાં માર માર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
Embed widget