શોધખોળ કરો

10 વર્ષે આવ્યો 'ન્યાય'! ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત, 38 ને પુરાવાના અભાવે છોડાયા

2016માં ગાયનું ચામડું ઉતારવાના બહાને 4 દલિત યુવાનોને કાર પાછળ બાંધીને બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો; દોષિતોને કેટલી સજા થશે તેનો નિર્ણય આવતીકાલે લેવાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઉના દલિતકાંડમાં 5 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા.
  • 10 વર્ષની કાનૂની લડત બાદ સેશન્સ કોર્ટનો ચુકાદો.
  • પૂરતા પુરાવાના અભાવે 38 આરોપીઓને નિર્દોષ મુક્ત.
  • દોષિતોની સજા પર આવતીકાલે અંતિમ દલીલો થશે.

સૌરાષ્ટ્રના ઉનામાં 2016 માં બનેલા ચકચારી અને આખા દેશને હચમચાવી મૂકનાર દલિતકાંડમાં આખરે એક દાયકાની લાંબી કાનૂની લડત બાદ સેશન્સ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. આજે (16 માર્ચ 2026) કોર્ટે આ કેસમાં 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે પૂરતા પુરાવાના અભાવે અન્ય 38 લોકોને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ મામલો 11 જુલાઈ 2016 નો છે, જ્યારે કથિત ગૌરક્ષકોએ ગાયની હત્યાનો આરોપ લગાવીને દલિત યુવાનોને કાર પાછળ બાંધીને જાહેરમાં ઢોર માર માર્યો હતો. હવે આવતીકાલે એટલે કે 17 માર્ચે દોષિતોની સજા પર અંતિમ દલીલો થશે અને ત્યારબાદ સજાની જાહેરાત કરવામાં આવશે.

શું હતો સમગ્ર મામલો?

11 જુલાઈ 2016 ના રોજ ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં એક અનુસૂચિત જાતિ (દલિત) પરિવારના 7 સભ્યો એક મૃત પશુનું ચામડું ઉતારી રહ્યા હતા. બરાબર એ જ સમયે પોતાને ગૌરક્ષક ગણાવતા કેટલાક લોકો ત્યાં ધસી આવ્યા હતા. તેમણે એવો પાયાવિહોણો આરોપ લગાવ્યો કે આ મૃત પશુ ગાય છે અને આ પરિવારે ગૌહત્યા કરી છે. બસ આ જ વાત પર તેમણે દલિત પરિવાર પર હુમલો કરી દીધો હતો.

ક્રૂરતાની તમામ હદો પાર કરી હતી

હુમલાખોરોએ અમાનવીયતા દાખવતા 4 દલિત યુવાનોને અર્ધનગ્ન કરી દીધા હતા અને તેમને એક ઝાયલો (Xylo) ગાડી પાછળ બાંધી દીધા હતા. ત્યારબાદ તેમને લાકડીઓ અને લોખંડના પાઇપથી બેરહેમીપૂર્વક ફટકારવામાં આવ્યા હતા. આટલું ઓછું હોય તેમ, આ યુવાનોને ઉના શહેરમાં લાવીને જાહેરમાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને માર મારવામાં આવ્યો હતો. આ ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર દેશમાં અને ખાસ કરીને અનુસૂચિત જાતિ સમુદાયમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

10 વર્ષ લાંબી કાનૂની લડત અને 5 દોષિતો

જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ આ ચુકાદા અંગે માહિતી આપતા જણાવ્યું કે, શરૂઆતમાં જ્યારે FIR નોંધાઈ ત્યારે તેમાં ઘણા બધા આરોપીઓના નામ સામેલ હતા. પરંતુ 10 વર્ષ સુધી ચાલેલી કોર્ટની લાંબી કાર્યવાહી, સાક્ષીઓની જુબાની અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે માત્ર 5 શખ્સોને જ આ ગુનામાં સંડોવાયેલા ગણીને દોષિત જાહેર કર્યા છે.

કોર્ટે જેમને દોષિત ઠેરવ્યા છે તેમના નામ નીચે મુજબ છે:

રમેશ જાદવ

રાકેશ જોશી

પ્રમોદ ગોસ્વામી

નાગજી ડાયા

બળવંત ગોસ્વામી

સજા અંગે આવતીકાલે નિર્ણય

કોર્ટે આ 5 આરોપીઓને દોષિત તો જાહેર કરી દીધા છે, પરંતુ તેમને કેટલી અને શું સજા થશે તેનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. આવતીકાલે 17 માર્ચ 2026 ના રોજ સરકારી અને બચાવ પક્ષના વકીલો સજાની મુદત અંગે કોર્ટમાં પોતાની આખરી દલીલો કરશે. આ દલીલો પૂરી થયા બાદ કોર્ટ પોતાનો અંતિમ ચુકાદો સંભળાવશે. બીજી તરફ, કેસમાં સામેલ અન્ય 38 આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતા કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂક્યા છે.

Frequently Asked Questions

ઉના દલિતકાંડમાં કોને દોષિત ઠેરવવામાં આવ્યા છે?

ઉના દલિતકાંડમાં 5 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આવતીકાલે તેમની સજા પર અંતિમ દલીલો થશે.

ઉના દલિતકાંડમાં કેટલા લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે?

પૂરતા પુરાવાના અભાવે 38 લોકોને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઉના દલિતકાંડ ક્યારે અને કયા ગામમાં થયો હતો?

આ મામલો 11 જુલાઈ 2016 નો છે, જ્યારે ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં દલિત યુવાનો પર હુમલો થયો હતો.

દલિત યુવાનો સાથે શું થયું હતું?

કથિત ગૌરક્ષકોએ દલિત યુવાનોને ગાયની હત્યાના ખોટા આરોપ હેઠળ કાર પાછળ બાંધીને જાહેરમાં માર માર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget