Banaskantha: બનાસ નદીમાં નાહવા પડેલા 3 યુવકો ડૂબ્યા, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટના સ્થળે
બનાસકાંઠા: જૂના ડીસામાં એક દૂર્ઘટના સામે આવી છે. બનાસ નદીમાં નાહવા પડેલા 3 યુવકો ડૂબ્યા છે. હાલમાં તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. જો કે 18 કલાક થયા છતાં હજી સુધી યુવકોની કોઈ ભાળ મળી નથી.
બનાસકાંઠા: જૂના ડીસામાં એક દૂર્ઘટના સામે આવી છે. બનાસ નદીમાં નાહવા પડેલા 3 યુવકો ડૂબ્યા છે. હાલમાં તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. જો કે 18 કલાક થયા છતાં હજી સુધી યુવકોની કોઈ ભાળ ન મળતા તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અને તરવૈયાની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. તંત્ર જે.સી.બી.મશીનથી પાળો તોડી પાણીનો પ્રવાહ ડાયવર્ટ કરીને શોધખોળ હાથ ધરશે. કલાકો વીતવા છતાં હજી સુધી મૃતદેહો મળી આવ્યા નથી. ઘટનાને પગલે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.
માતાના નિધન બાદ ધાર્મિક ક્રિયા બાબતે બે ભાઈઓ વચ્ચે મારામારી
જૂનાગઢ: ભેસાણ તાલુકાના નવા વાઘણિયા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતાના નિધન બાદ ધાર્મિક ક્રિયા બાબતે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. માથાકૂટ બાદ બે ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી. કાળુભાઇનું સારવાર દરમિયાન મોત થતાં પુત્ર ઇમરાને ફરીયાદ નોંધાવી છે. જેમાં 4 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવાઇ છે. આલમ બેનનું 24 જુલાઈના રોજ અવસાન થયું હતું. જે બાદ તેમા સંતાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક ભાઈનું મોત થતા ચકચાર મચી ગઈ છે.
ચોરીની શંકાએ યુવકને મારી છૂટી લાકડી મારતાં યુવકનું મોત
વડોદરાઃ સેવાસી વિસ્તારની મુરલીધર રેસિડેન્સીમાં ચોરીની શંકાએ માર મારતા યુવકના મોતમાં હત્યાનો ગુનો દાખલ થયો છે. રઘુ ભરવાડે તેમના મકાનમાં ચોરી કરવા 2 વ્યક્તિ પ્રવેસ્યાની શંકાએ ભુપેન્દ્ર સોલંકીને છૂટી લાકડી મારી હતી. આ મામલે પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ ભુપેન્દ્રને પોલીસ મથક લઇ ગઈ હતી. જોકે પોલીસ મથકમાં ભુપેન્દ્રને ખેંચ આવતા સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરો એ મૃત ઘોષિત કર્યો. ભુપેન્દ્રને પીએમ માટે લઈ જવાયો જ્યાં તેના હાથ, પગ, બરડા અને થાપાના ભાગે ઇજાના નિશાન દેખાયા હતા. મૃતક ભુપેન્દ્ર સોલંકીના પિતા ઝવેરભાઈ સોલંકીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો
Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ
Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો























