શોધખોળ કરો
Advertisement
Coronavirus : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 395 કેસ, 25ના મોત, સંક્રમિતોની સંખ્યા 12 હજારને પાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 395 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 25 દર્દીઓનાં મોત થયા છે અને 239 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 395 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 25 દર્દીઓનાં મોત થયા છે અને 239 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 12141 પર પહોંચી છે અને 719 લોકોનાં મોત થયા છે. પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.
અમદાવાદમાં 262, સુરત 29, વડોદરા 18,ગાંધીનગર-10, જામનગર 7, સાબરકાંઠા 7, કચ્છ 21,મહેસાણા 5, સુરેન્દ્રનગર 5, ખેડા 4, પાટણ 4, ભરૂચ 4, બનાસકાંઠા 3, મહીસાગર 3, ગીર સોમનાથ 3,જૂનાગઢ 3,ભાવનગર 2,રાજકોટ 2,અરવલ્લી 1,છોટા ઉદેપુર 1,તાપી 1 કેસ નોંધાયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 25 લોકોનાં મોત થયા છે. જેમાંથી 9નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 16નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. અમદાવાદમાં 21 ,સુરતમાં 2, અરવલ્લી અને ગાંધીનગરમાં 1-1 મોત થયું છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 12141 કોરોના કેસમાંથી 49 દર્દી વેન્ટિલેટર પર છે અને 6330 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 5043 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 154674 ટેસ્ટ થયા જેમાંથી 12141 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion