![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mahisagar: મહીસાગરમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, એક અઠવાડિયામાં બીજો બનાવ બનતા ચકચાર
મહીસાગર: જિલ્લાના કડાણા તાલુકાના નાના પડાદરા ગામે ઝાડ પર યુવક યુવતીની લટકતી હાલતમાં લાશ મળી આવી છે. તમને જણાવી દઈએ કે, મહીસાગર જિલ્લામાં એક અઠવાડિયામાં આ બીજો કિસ્સો સામે આવ્યો છે.
![Mahisagar: મહીસાગરમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, એક અઠવાડિયામાં બીજો બનાવ બનતા ચકચાર A young man and a young woman committed suicide in Nana Padadara village Mahisagar: મહીસાગરમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, એક અઠવાડિયામાં બીજો બનાવ બનતા ચકચાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/03/d8771b14a794aad83c772416de5b30a81685785443966397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહીસાગર: જિલ્લાના કડાણા તાલુકાના નાના પડાદરા ગામે ઝાડ પર યુવક યુવતીની લટકતી હાલતમાં લાશ મળી આવી છે. તમને જણાવી દઈએ કે, મહીસાગર જિલ્લામાં એક અઠવાડિયામાં આ બીજો કિસ્સો સામે આવ્યો છે. કડાણાના નાના પડાદરા ગામે યુવક યુવતીએ ઝાડ પર લટકી જીવન ટુંકવાયું હતું. પ્રેમ પ્રકરણમાં જીવન ટૂકાવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે.
નાના પડાદરા ગામની સીમામાં વૃક્ષ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જંગલમાં ટીભરાની ડાળીએ લટકતી હાલતમાં બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. ડીટવાસ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. યુવતીના લગ્ન નક્કી થઈ ગયા હોવાના કારણે પ્રેમી પંખીડાએ અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
ગુજરાતના આ જાણીતા સંતનું હાર્ટ એટેકના કારણે નિધન, ભક્તોમાં છવાયો માતમ
સુરત: શહેરમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. મહંત રાકેશ મહારાજના નિધનને લઈને ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનામાં મોટો ઉછાળો આવ્યો છે. ઘણા લોકો નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે મોતને ભેટી રહ્યા છે.
જામનગરમાં બે વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ
જામનગર: તાલુકાના તમાચણ ગામે એક બાળકી બોરવેલમાં ફસાઈ છે. બે વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હોવાની માહિતી સામે આવી છે. હાલમાં જામનગર ફાયર વિભાગની ટીમ સ્થળ પર જવા રવાના થઈ છે. ૨૦ થી ૩૦ ફૂટે બાળકી ફસાઈ હોવાની માહીતી મળી રહી છે. વાડીમાં મજુરી કરતા પરિવારની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી છે. હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.
અમદાવાદના યુવકની વડોદરાની હોટલમાંથી મળી આવી લાશ
વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં લાશ મળી આવી છે. અલંકાર ટાવર સ્થિત અલંકાર હોટલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હોટેલના રૂમમાંથી તીવ્ર દુર્ગંધ મારતા હોટલ સ્ટાફ દોડી આવ્યો હતો. હોટલના રૂમમાં તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને હોટલનો સ્ટાફ ચોંકી ગયો હતો. યુવકના મૃતદેહ પાસે સ્યુસાઇડ નોટ મળી આવી હતી. ચાર પેજની સ્યુસાઈડ નોટ મળી આવી છે. સામે આવેલી વિગતો અનુસાર યુવક તારીખ 31 મેના રોજ હોટેલમાં રોકાયો હતો. મૃતદેહ ડી કંપોસ્ટ હાલતમાં મળી આવ્યો છે. ઘટનાની જાણ કરવામાં આવતા સયાજીગંજ પોલીસ ઘટને સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહ કબ્જે કરી પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)