શોધખોળ કરો

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ

Somnath Swabhiman Parv: પ્રધાનમંત્રી મોદીના સોમનાથ પ્રવાસને લઇને તૈયારી. સોમનાથમાં 8થી 10 જાન્યુ. વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમ. 11 જાન્યુઆરીએ શોર્ય યાત્રા બાદ PM મોદીની જનસભા. સોમનાથ મંદિરમાં ઋષિ કુમારો 72 કલાક કરશે જાપ. સોમનાથ મંદિરમાં 1 હજાર શંખનો નાદ કરાશે. સોમનાથ મંદિરમાં 3 હજાર ડ્રોનથી અદભુત શો યોજાશે. ચાર જિલ્લામાંથી ખાસ ટ્રેન મારફળે શ્રદ્ધાળુઓ આવશે સોમનાથ. આખું વર્ષ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવાશે.

ભારતભરમાં આસ્થાના પ્રતીક સમાન અને પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથ મંદિરના આંગણે ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન અહીં ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ (Somnath Swabhiman Parv) નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઉજવણી માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિના ગૌરવ અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી અને રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.

આ મહોત્સવ પાછળનો હેતુ અને સમયગાળો ખૂબ જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ઈતિહાસના પાનાઓ તપાસીએ તો ઈ.સ. 1026 માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને આજે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઘટનાની સામે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો જે દ્રઢ સંકલ્પ લીધો હતો, તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ બંને ઘટનાઓના ‘ડબલ સંયોગ’ને ધ્યાનમાં રાખીને, સોમનાથના સંઘર્ષ અને પુનઃનિર્માણની ગાથાને યાદ કરવા માટે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થવા માટે તારીખ 10 જાન્યુઆરીના રોજ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારશે. ત્યાર બાદના દિવસે એટલે કે 11 જાન્યુઆરીએ તેઓ ભગવાન સોમનાથના દર્શન અને પૂજા-અર્ચના કરશે તેમજ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન એક ભવ્ય રોડ-શો (Road Show) અને શૌર્ય યાત્રામાં જોડાશે. અંતમાં તેઓ એક વિશાળ જનસભાને સંબોધન કરીને દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે.

સમાચાર વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget