શોધખોળ કરો

કોંગ્રેસમાં કાળા જાદુનો મામલોઃ તાંત્રિક હામિદાબેનના ઘરે તાળા, વિજ્ઞાન જાથા પહોંચ્યું ધોરાજી

અમદાવાદ કોંગ્રેસમાં કાળા જાદુનો મામલે હવે વિજ્ઞાન જાથા મેદાનમાં આવ્યું છે. કાળા જાદુની કથિત સોપારી લેનાર હામીદાબેન ગમે ત્યારે ધોરાજી પોલીસ સ્ટેશનમાં હાજર થાય એવી શક્યતા છે.

રાજકોટ: અમદાવાદ કોંગ્રેસમાં કાળા જાદુનો મામલે હવે વિજ્ઞાન જાથા મેદાનમાં આવ્યું છે. કાળા જાદુની કથિત સોપારી લેનાર હામીદાબેન ગમે ત્યારે ધોરાજી પોલીસ સ્ટેશનમાં હાજર થાય એવી શક્યતા છે. વિજ્ઞાન જાથા અને પોલીસ દ્વારા હામીદાબેનના પરિવારજનોને સમજાવ્યા. પોલીસમાં હાજર થવા વિજ્ઞાન જાથા દ્વારા પરિવારજનોને સમજાવ્યા. આજે બપોરે એબીપી અસ્મિતા તાંત્રિક હામિદાબેનના ઘરે પહોંચ્યું ત્યારે તેમના ઘરે તાળા જોવા મળ્યા હતા. તેમજ આસપાસના લોકોએ પણ તેમના વિશે કોઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું. 

પોતાના જ પક્ષના બે નેતાઓ પર તાંત્રિકવિધિ કરી ખતમ કરવા માટે સોપારી આપતો વાયરલ થયેલો કોર્પોરેટર જમનાબેન વેગડાનો જ હોવાનો દાવો ધારાસભ્ય શૈલેષ પરમારે કર્યો છે અને સાથે એવું પણ જણાવ્યું છે કે, આવા લોકોને કોંગ્રેસ પક્ષમાંથી કાઢી મૂકવા જોઈએ. પરમારે વધુમાં જણાવ્યું કે, મારા રાજકીય જીવનમાં પહેલી વખત આવી ઘટના બની છે. પોતાના જ નેતાઓને ખતમ કરવા માટે કોઈ કાળા જાદુનો સહારો લે છે. સત્તાની લાલચમાં કોઈ આવી હિન પ્રયાસ કરે તે પહેલી વખત જોયું. જમનાબેન વેગડાને મે જ ટીકીટ અપાવી અને મે જ જીતાડ્યા.  હું મારા પરમુખ અને પક્ષને વિનંતી કરું છું કે, જમનાબેનને પક્ષમાંથી કાઢી મૂકે. મારી હત્યા કરવા માટે તાંત્રિકને સોપારી આપી છે. ઓડીઓમાં જે આવા જ છે તે જમનાબેન વેગડાનો જ છે. હું જમનાબેન વેગડા સામે કાયદાકીય પગલાં પણ લઈશ.મારી હત્યાનું કાવતરું છે એટલે હું કાયદાકીય લડત પણ લડીશ.

તાંત્રીક વિધિથી નેતાઓને ખતમ કરવાની બાબત અંગે MLA ઈમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે. જે તાંત્રિકવિધિ કરવાની વાત કરે છે તેની સામે ફરિયાદ થવી જોઈએ. જમનાબેન સામે કોંગ્રેસ પ્રમુખે પગલાં ભરવા જોઇએ. સત્તા ભગવાન અને ઇશ્વર સિવાય કોઈ આપી શકે નહિ. એક રાજકીય વ્યક્તિને તાંત્રિકવિધિની વાત સરી નથી લાગતી. ઓડિયોમાં જે અવાજ છે તે જમનાબેનનો હોય તો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. જમનાબેનને તાંત્રિકવિધિ કરનાર પાસે કોણ લઈ ગયું તેની પણ તપાસ થવી જોઈએ.

આ બાબતની કોંગ્રેસે ગંભીર નોંધ લેતા સમગ્ર મામલાની તપાસ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રભારી સી જે ચાવડાને સોંપી છે. આ બાબતે સી જે ચાવડાએ જણાવ્યું કે, મારા 25 વર્ષના રાજકારણમાં પહેલી વખત આવી તાંત્રીક વિધિની વાત સામે આવી. શેહઝાદ ખાન પઠાણને વિપક્ષીનેતા બનાવ્યા બાદ કેટલાક લોકો નારાજ હતા. જે લોકો નારાજ હતા તેમાં જમનાબેન પણ હતા. જમનાબેનની લાગણીનો કોઈ વચેટિયાઓ લાભ લેતા હોય તેવું લાગે છે. પ્રદેશ પ્રમુખે તપાસ કરવાની જવાબદારી પ્રભારી તરીકે મને આપી છે. ઓડિયો જમનાબેનનો હશે તો આ સમગ્ર કેસ શિસ્ત સમિતિને સોંપવામાં આવશે. હાલ હું અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ તપાસ કરી રહ્યા છીએ. તમામ કોર્પોરેટરની એક કે બે દિવસમાં મિટિંગ થશે. હાલ અમે શૈલેષ પરમાર, શેહઝાદ ખાન પઠાણ અને જમનાબેન સાથે વાત કરીને તપાસ કરી રહ્યા છીએ. તપાસના અંતે શું પગલાં લેવા તે નક્કી કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
Shani Dev:  વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
Shani Dev: વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.