શોધખોળ કરો

કોંગ્રેસમાં કાળા જાદુનો મામલોઃ તાંત્રિક હામિદાબેનના ઘરે તાળા, વિજ્ઞાન જાથા પહોંચ્યું ધોરાજી

અમદાવાદ કોંગ્રેસમાં કાળા જાદુનો મામલે હવે વિજ્ઞાન જાથા મેદાનમાં આવ્યું છે. કાળા જાદુની કથિત સોપારી લેનાર હામીદાબેન ગમે ત્યારે ધોરાજી પોલીસ સ્ટેશનમાં હાજર થાય એવી શક્યતા છે.

રાજકોટ: અમદાવાદ કોંગ્રેસમાં કાળા જાદુનો મામલે હવે વિજ્ઞાન જાથા મેદાનમાં આવ્યું છે. કાળા જાદુની કથિત સોપારી લેનાર હામીદાબેન ગમે ત્યારે ધોરાજી પોલીસ સ્ટેશનમાં હાજર થાય એવી શક્યતા છે. વિજ્ઞાન જાથા અને પોલીસ દ્વારા હામીદાબેનના પરિવારજનોને સમજાવ્યા. પોલીસમાં હાજર થવા વિજ્ઞાન જાથા દ્વારા પરિવારજનોને સમજાવ્યા. આજે બપોરે એબીપી અસ્મિતા તાંત્રિક હામિદાબેનના ઘરે પહોંચ્યું ત્યારે તેમના ઘરે તાળા જોવા મળ્યા હતા. તેમજ આસપાસના લોકોએ પણ તેમના વિશે કોઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું. 

પોતાના જ પક્ષના બે નેતાઓ પર તાંત્રિકવિધિ કરી ખતમ કરવા માટે સોપારી આપતો વાયરલ થયેલો કોર્પોરેટર જમનાબેન વેગડાનો જ હોવાનો દાવો ધારાસભ્ય શૈલેષ પરમારે કર્યો છે અને સાથે એવું પણ જણાવ્યું છે કે, આવા લોકોને કોંગ્રેસ પક્ષમાંથી કાઢી મૂકવા જોઈએ. પરમારે વધુમાં જણાવ્યું કે, મારા રાજકીય જીવનમાં પહેલી વખત આવી ઘટના બની છે. પોતાના જ નેતાઓને ખતમ કરવા માટે કોઈ કાળા જાદુનો સહારો લે છે. સત્તાની લાલચમાં કોઈ આવી હિન પ્રયાસ કરે તે પહેલી વખત જોયું. જમનાબેન વેગડાને મે જ ટીકીટ અપાવી અને મે જ જીતાડ્યા.  હું મારા પરમુખ અને પક્ષને વિનંતી કરું છું કે, જમનાબેનને પક્ષમાંથી કાઢી મૂકે. મારી હત્યા કરવા માટે તાંત્રિકને સોપારી આપી છે. ઓડીઓમાં જે આવા જ છે તે જમનાબેન વેગડાનો જ છે. હું જમનાબેન વેગડા સામે કાયદાકીય પગલાં પણ લઈશ.મારી હત્યાનું કાવતરું છે એટલે હું કાયદાકીય લડત પણ લડીશ.

તાંત્રીક વિધિથી નેતાઓને ખતમ કરવાની બાબત અંગે MLA ઈમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે. જે તાંત્રિકવિધિ કરવાની વાત કરે છે તેની સામે ફરિયાદ થવી જોઈએ. જમનાબેન સામે કોંગ્રેસ પ્રમુખે પગલાં ભરવા જોઇએ. સત્તા ભગવાન અને ઇશ્વર સિવાય કોઈ આપી શકે નહિ. એક રાજકીય વ્યક્તિને તાંત્રિકવિધિની વાત સરી નથી લાગતી. ઓડિયોમાં જે અવાજ છે તે જમનાબેનનો હોય તો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. જમનાબેનને તાંત્રિકવિધિ કરનાર પાસે કોણ લઈ ગયું તેની પણ તપાસ થવી જોઈએ.

આ બાબતની કોંગ્રેસે ગંભીર નોંધ લેતા સમગ્ર મામલાની તપાસ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રભારી સી જે ચાવડાને સોંપી છે. આ બાબતે સી જે ચાવડાએ જણાવ્યું કે, મારા 25 વર્ષના રાજકારણમાં પહેલી વખત આવી તાંત્રીક વિધિની વાત સામે આવી. શેહઝાદ ખાન પઠાણને વિપક્ષીનેતા બનાવ્યા બાદ કેટલાક લોકો નારાજ હતા. જે લોકો નારાજ હતા તેમાં જમનાબેન પણ હતા. જમનાબેનની લાગણીનો કોઈ વચેટિયાઓ લાભ લેતા હોય તેવું લાગે છે. પ્રદેશ પ્રમુખે તપાસ કરવાની જવાબદારી પ્રભારી તરીકે મને આપી છે. ઓડિયો જમનાબેનનો હશે તો આ સમગ્ર કેસ શિસ્ત સમિતિને સોંપવામાં આવશે. હાલ હું અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ તપાસ કરી રહ્યા છીએ. તમામ કોર્પોરેટરની એક કે બે દિવસમાં મિટિંગ થશે. હાલ અમે શૈલેષ પરમાર, શેહઝાદ ખાન પઠાણ અને જમનાબેન સાથે વાત કરીને તપાસ કરી રહ્યા છીએ. તપાસના અંતે શું પગલાં લેવા તે નક્કી કરવામાં આવશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?
ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Embed widget