શોધખોળ કરો

આ તારીખ બાદ સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની અંબાલાલની આગાહી, જાણો  ક્યાં ખાબકશે ધોધમાર

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મેઘરાજા જતા જતા ગુજરાતને ઘમરોળશે.

ગાંધીનગર: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મેઘરાજા જતા જતા ગુજરાતને ઘમરોળશે. અંબાલાલ પટેલે રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી કરી છે.  5થી 8 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડી શકે છે. 5થી 8 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની તેમણે આગાહી વ્યક્ત કરી છે.  

મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી

તેમની આગાહી અનુસાર,  ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ અને પવન સાથે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસશે.  અનેક વિસ્તારમાં 4થી10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. નર્મદા ડેમમાં પાણીનું સ્તર વધવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. 

તાપી નદીમાં પાણીની આવક વધારો થશે

અંબાલાલ પટેલની આગાહી મુજબ તાપી નદીમાં પાણીની આવક વધારો થશે.  સાબરમતી નદીમાં પણ પાણીની આવકમાં વધારો થશે. આ સિવાય તેમણે રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે.  

નવરાત્રિમાં વરસાદ વિલન બનશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રિમાં વરસાદ વિલન બનશે. તેમના જણાવ્યા  મુજબ પ્રથમ નોરતાથી જ વાદળછાયું વાતાવરણ રહેશે.  અંબાલાલની આ આગાહીથી ખેલૈયાઓમાં ચિંતામાં મૂકાશે. તેમના જણાવ્યા મુજબ પ્રથમ 5 નોરતા રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  જ્યારે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી રાજ્યના અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. અંબાલાલની આગાહી મુજબ છઠ્ઠા નોરતાથી રાજ્યમાં પવન સાથે વરસાદ પડી શકે છે. 27મી તારીખથી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 

સરેરાશ 90.81  ટકા વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ 89.66 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 80.58 ટકા જળસંગ્રહ છે.

રાજ્યમાં 108 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 80 ડેમ 100 ટકા ભરાયેલા છે. આ સિવાય 30 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર છે. જ્યારે 67 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા અને 18 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget