શોધખોળ કરો

આ તારીખ બાદ સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની અંબાલાલની આગાહી, જાણો  ક્યાં ખાબકશે ધોધમાર

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મેઘરાજા જતા જતા ગુજરાતને ઘમરોળશે.

ગાંધીનગર: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મેઘરાજા જતા જતા ગુજરાતને ઘમરોળશે. અંબાલાલ પટેલે રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી કરી છે.  5થી 8 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડી શકે છે. 5થી 8 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની તેમણે આગાહી વ્યક્ત કરી છે.  

મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી

તેમની આગાહી અનુસાર,  ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ અને પવન સાથે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસશે.  અનેક વિસ્તારમાં 4થી10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. નર્મદા ડેમમાં પાણીનું સ્તર વધવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. 

તાપી નદીમાં પાણીની આવક વધારો થશે

અંબાલાલ પટેલની આગાહી મુજબ તાપી નદીમાં પાણીની આવક વધારો થશે.  સાબરમતી નદીમાં પણ પાણીની આવકમાં વધારો થશે. આ સિવાય તેમણે રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે.  

નવરાત્રિમાં વરસાદ વિલન બનશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રિમાં વરસાદ વિલન બનશે. તેમના જણાવ્યા  મુજબ પ્રથમ નોરતાથી જ વાદળછાયું વાતાવરણ રહેશે.  અંબાલાલની આ આગાહીથી ખેલૈયાઓમાં ચિંતામાં મૂકાશે. તેમના જણાવ્યા મુજબ પ્રથમ 5 નોરતા રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  જ્યારે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી રાજ્યના અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. અંબાલાલની આગાહી મુજબ છઠ્ઠા નોરતાથી રાજ્યમાં પવન સાથે વરસાદ પડી શકે છે. 27મી તારીખથી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 

સરેરાશ 90.81  ટકા વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ 89.66 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 80.58 ટકા જળસંગ્રહ છે.

રાજ્યમાં 108 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 80 ડેમ 100 ટકા ભરાયેલા છે. આ સિવાય 30 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર છે. જ્યારે 67 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા અને 18 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
Embed widget