![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Amreli: ડો. ભરત કાનાબારના ટ્વિટથી અનેક પ્રકારની અટકળો, લખ્યું- લાચારીનું બીજું નામ શિસ્ત
Bharat Kanabar: ફરી એકવાર અમરેલીના બીજેપી નેતા પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમના એક ટ્વિટથી અનેક પ્રકારની અટકળો તેજ બની છે.
![Amreli: ડો. ભરત કાનાબારના ટ્વિટથી અનેક પ્રકારની અટકળો, લખ્યું- લાચારીનું બીજું નામ શિસ્ત Amreli News: Once again BJP leader Dr Bharat Kanabar tweet in news Amreli: ડો. ભરત કાનાબારના ટ્વિટથી અનેક પ્રકારની અટકળો, લખ્યું- લાચારીનું બીજું નામ શિસ્ત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/20/6417fceefb9b67e24b01c2d6cfdcf0d8171358840788376_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Amreli News: બીજેપી નેતા ભરત કાનાબાર નેતા નિવેદનનો કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ભરત કાનાબારે ઘણીવાર પોતાની સરકારને અરિસો બતાવી ચૂક્યા છે. આ ઉપરાંત સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીને લઈને પણ ભરત કાનાબાર સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ વ્યક્ત કરતા રહે છે. હવે ફરી એકવાર બીજેપી નેતા પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમના એક ટ્વિટથી અનેક પ્રકારની અટકળો તેજ બની છે.
તેમણે ટ્વિટ કરી શિસ્ત અને વફાદારીની નવી વ્યાખ્યા આપી છે. લાચારીનું બીજુ નામ શિસ્ત, કાયરતાનુ બીજુ નામ વફાદારી એવો પણ સોશિયલ મિડીયા પોસ્ટમાં ઉલ્લેખ છે. કાનાબારની પોસ્ટ રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખી કે અન્ય કારણસર તે વિશે ચર્ચા થઈ રહી છે. કાનાબાર અનેક વાર આ જ પ્રકારે પોસ્ટ કરતા હોય છે. આ પોસ્ટમાં કાનાબારના નિશાને કોણ તે કહેવું મુશ્કેલ છે. તેમણે લખ્યું છે, અન્યાય થતો હોય ત્યારે મુંગા મોઢે સહન કરવું પડે એવી લાચારીનું બીજુ નામ શિસ્ત છે. વતનની ધરતીના અન્ન પાણી આપણું પોષણ કર્યુ છે તેના લોકોનું અહિત થઈ રહ્યુ હોય તે જાણવા છતાં કંઈ ના કરી શકવાની કાયરતાનું બીજું નામ વફાદારી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)