શોધખોળ કરો
ગુજરાતના કયા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતાં ત્રણ માર્કેટિંગ યાર્ડ કરી દેવાયા બંધ? જાણો વિગત
જિલ્લાના મહુવા માર્કેટીંગ યાર્ડ, તળાજા માર્કેટીંગ યાર્ડ અને ભાવનગર માર્કેટીંગ બંધ કરી દેવામાં આવ્યા છે.

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે ત્રણ તાલુકાના માર્કેટીંગ યાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના મહુવા માર્કેટીંગ યાર્ડ, તળાજા માર્કેટીંગ યાર્ડ અને ભાવનગર માર્કેટીંગ બંધ કરી દેવામાં આવ્યા છે. શાકભાજી સિવાય એક પણ જણસની હરાજી નહીં થાય. આગામી તારીખ 3 ઓગસ્ટ સુધી માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે. મહુવા માર્કેટીંગ યાર્ડ જિલ્લાનું સૌથી મોટું માર્કેટીંગ યાર્ડ છે, જે ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે.
Before You Go
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત





















