શોધખોળ કરો

Biparjoy cyclone: યાત્રાધામ હર્ષદ ખાતે બજાર સુધી પહોંચ્યા દરિયાના પાણી, જાફરાબાદ બંદરે પહોંચ્યા SP

Biparjoy cyclone: બિપરજોય વાવાઝોડાની અસર રાજ્યના દરિયા કાંઠે જોવા મળી રહી છે.  પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતાજી ખાતે દરિયાનું પાણી રોડ પર આવી ગયું છે.

Biparjoy cyclone: બિપરજોય વાવાઝોડાની અસર રાજ્યના દરિયા કાંઠે જોવા મળી રહી છે.  પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતાજી ખાતે દરિયાનું પાણી રોડ પર આવી ગયું છે. હર્ષદ ખાતે દરિયામાં કરંટ દેખાયા બાદ દરિયાનાં પાણી રસ્તા પર આવતા બિપરજોય  વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. અહીં અનેક દુકાનો સુધી પાણી ઘૂસ્યા છે.

અમરેલી જિલ્લાના દરિયાકાંઠે વાવાઝોડાની અસરથી પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડાએ જાફરાબાદ દરિયા બંદરની મુલાકાત લીધી છે. આજે સાંજે અમરેલી એસપી હિમકર સિંહ અને ડીવાયએસપી હરેશ વોરા સહિતની પોલીસની ટીમે જાફરાબાદ લાઈટ હાઉસ દરિયાકાંઠાની મુલાકાત લીધી હતી. અમરેલી જિલ્લાના બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત દરિયાકાંઠાના જાફરાબાદ પીપાવાવ શિયાળ બેટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ સુરક્ષાની વ્યવસ્થા અંગેની જાણકારી આપી. તેમજ આગેવાનો અને માછીમારો સાથે વાતચીત કરી હતી. અમરેલી જિલ્લાના પ્રભાવિત થનારા દરિયાકાંઠાના તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જરૂર પડે અસરગ્રસ્ત થાય તેવા લોકોને સેન્ટર હોમમાં ખસેડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસની સમગ્ર ટીમ ઉપર જિલ્લા પોલીસવડા ખુદ મોનિટરિંગ કરી રહ્યા છે.

વાવાઝોડાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કયા મંત્રીને કયા જિલ્લાની સોંપી જવાબદારી

દ્ર સ્વરૂપે વાવાઝોડું ગુજરાટમાં ટકરાવાનું નક્કી છે. વાવાઝોડુ પોરબંદરથી માત્ર 450 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 490 કિલોમીટર અને નલીયાથી 570 કિલોમીટર દૂર છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ધીમે ધીમે વાવાઝોડાની સ્પીડમાં પણ વધારો થઈ રહ્યો છે. વાવાઝોડાના ખતરાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક પણ યોજી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.

કયા જિલ્લાની જવાબદારી કયા મંત્રીને સોંપી

  • કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ ભાઇ પાનશેરીયા
  • મોરબીમાં કનુભાઈ દેસાઈ
  • રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ
  •  પોરબંદરમાં કુંવરજી બાવળિયા
  • જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા
  • દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી
  • જૂનાગઢ જિલ્લામાં જગદીશ વિશ્વકર્મા
  •  ગીર સોમનાથમાં પરસોત્તમ સોલંકી

આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.

હવામાન વિભાગે શું કહ્યું

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, બિપરજોય વાવાઝોડું વેરી સિવિયર સાયકલોન બની ચૂક્યું છે. ગુજરાતમાં 15 તારીખે વાવાઝોડું ત્રાટકશે. સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટમાં વાવાઝોડું ટકરાશે. ગુજરાતમાં ટકરાશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે. અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કહ્યું

બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, બિપરજોય વાવાઝોડાની અસર મધ્ય ગુજરાત સુધી વર્તાશે. મધ્ય ગુજરાતમાં માધ્યમથી ભારે વરસાદ આવવાની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, બોડેલી, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોમાં 12 થી 16 જૂન વચ્ચે ભારે પવન અને ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, ઓખા બંદર પર પવન ની ગતિ 100km સુધી રહેવાની શક્યતા છે. ભારે આંધી અને વાવાઝોડા સાથે વરસાદ આવવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગાંધીનગરમાં સીએમની હાઈલેવલ બેઠક: જાણો પેટ્રોલ-ડીઝલ, એલપીજી અને ખાતરના જથ્થા અંગે શું છે લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં સીએમની હાઈલેવલ બેઠક: જાણો પેટ્રોલ-ડીઝલ, એલપીજી અને ખાતરના જથ્થા અંગે શું છે લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Embed widget