Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: : છેલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. કાલે પણ રાપરમાં 4.6 તીવ્રતાનો વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો.ત્યારબાદ 2 વખત ધરા ડોલી હતી. આ બધાની વચ્ચે જિયોલિસ્ટે કચ્છમાં વિનાશકારી ભૂકંપની આશંકા વ્યક્ત કરી છે.
Kutch Earthquake: કચ્છમાં આજકાલ વારંવાર ભૂકંપ આવી રહ્યાં છે. ગઇ કાલે કચ્છના રાપરમાં એક દિવસમાં ત્રણ આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 4ની આસપાસ નોંધાઇ હતી. વારંવાર આવતા ભૂકંપના આંચકા વચ્ચે નિષ્ણાતોએ હજુ આ વિસ્તારમાં વધુ ભૂકંપના આંચકાની આશંકા વ્યક્ત કરી છે. કચ્છ યુનિવર્સિટીના જિયોલોજિસ્ટ ગૌરવ ચૌહાણે મોટા ભૂકંપની આશંકા વ્યક્ત કરી છે. ઉલ્લેખનિય છે કે, જિયોલોજિસ્ટે કચ્છમાં 10 ફોલ્ટ લાઈન સક્રિય હોવાનો દાવો કર્યો છે. ફોલ્ટ લાઈનના કારણે કચ્છમાં ભૂકંપનું પ્રમાણ વધ્યું છે.કચ્છમાં ગઈકાલે સવારે અ4.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
નોંધનિય છે કે, રાપર નજીક શુક્રવારે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ભૂંકપનો જોરદાર આંચકો અનુભવાયો હતો, તીવ્રતા 4.6ની અંકાઇ હતી. . વહેલી સવાર હોવાથી લોકો ઊંઘી રહ્યાં હતા. આવી સ્થિતિમાં જોરદાર આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો બહાર દોડ્યા હતા. ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંઘાયું હતું. ભૂકંપનો આંચકો રાપર સહિત વાગડના અનેક વિસ્તારોમાં અનુભવાયો હતો. કચ્છમાં અવારનવાર ભૂકંપના 4 તીવ્રતા સુધીના આંચકા અનુભવાયછે. એક સર્વેક્ષણ મુજબ કચ્છમાં આશરે એક વર્ષમાં અંદાજિત 81 જેટલા આવા આંચકા અનુભવાય છે.
. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અને હિમાચલ પ્રદેશની મહારાજા અગ્રસેન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસ મુજબ, રાજ્યની નીચે અનેક ફોલ્ટ લાઇનો એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જેના કારણે વારંવાર ધ્રુજારી અને ભૂકંપ આવે છે. આ અભ્યાસનું તારણ 2001ના વિનાશક ભૂકંપની 25મી વર્ષગાંઠના લગભગ એક મહિના પહેલા આવ્યું હતું. . ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ અભ્યાસના આધારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
આ અહેવાલ મુજબ, સંશોધકોએ 2008 થી 2024 સુધી નોંધાયેલા 1,300 થી વધુ ભૂકંપનું વિશ્લેષણ કર્યું હતું. આનો અર્થ એ થયો કે આ 16 વર્ષ દરમિયાન, આ પ્રદેશમાં દર વર્ષે આશરે 81 ભૂકંપ અનુભવાયા હતા. આ ડેટા 56 કાયમી અને 20 કામચલાઉ ભૂકંપ મથકો પરથી મેળવવામાં આવ્યો હતો.
ભૂસ્તરીય રીતે કચ્છ રિફ્ટ બેસિન તરીકે ઓળખાતો આ પ્રદેશ ગુજરાતના બાકીના ભાગ કરતાં નોંધપાત્ર રીતે ક્રસ્ટલ ડિફોર્મેશન દર્શાવે છે. નોંધપાત્ર રીતે, આ ડિફોર્મેશન કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, દક્ષિણ વાગડ ફોલ્ટ, અલ્લાહ બુંદ ફોલ્ટ અને ગેડી ફોલ્ટ જેવા મુખ્ય સક્રિય ફોલ્ટ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. ભૂતકાળમાં આ ફોલ્ટ સિસ્ટમ્સ મોટા ભૂકંપ માટે જવાબદાર રહી છે. અભ્યાસો અનુસાર, આ પ્રદેશમાં રિક્ટર સ્કેલ પર 6 કે તેથી વધુ તીવ્રતાના ઓછામાં ઓછા ચાર ભૂકંપ નોંધાયા છે. 1819 માં, અલ્લાહ બુંદમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે 2001 માં, 7.7 ની તીવ્રતાનો ભૂકંપે કચ્છ અને ગુજરાતને હચમચાવી દીધું હતું.
સંશોધકો માને છે કે, ટૂંકા ગાળામાં, આ તારણો સમજાવે છે કે, રાજ્યના અમુક ભાગો ભૂકંપ માટે વધુ સંવેદનશીલ છે. કચ્છ જેવા પ્રદેશો ભવિષ્યમાં ભૂકંપની દ્રષ્ટિએ સક્રિય રહેશે. આનું કારણ એ છે કે મર્યાદિત વિસ્તારમાં બહુવિધ ફોલ્ટસ જે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જેના કારણે પોપડામાં જટિલ અને સતત દબાણ જમા થાય છે.જેના કારણે ભૂકંપ અનુભવાય છે.




















