શોધખોળ કરો

Lok Sabha Elections: ભરુચ બેઠક પર ચૈતર વસાવાને સમર્થન આપવાની વાત સામે આવતાં જ કોંગ્રેસમાં કકળાટ શરુ, ફૈઝલ પટેલે આપી ચીમકી

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભરુચ બેઠક પર કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારને ટેકો આપશે તેવી વાત સામે આવતા જ ભરુચ કોંગ્રેસમાં ભડકો થયો છે.

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભરુચ બેઠક પર કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારને ટેકો આપશે તેવી વાત સામે આવતા જ ભરુચ કોંગ્રેસમાં ભડકો થયો છે. તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલે પહેલાં જ ભરુચ બેઠક પર ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી હતી.

 

AAP સાથે ગઠબંધનની ચર્ચા બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ભડકો થાય તેવી શક્યતા છે. સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડને ચીમકી આપી છે. તેમણે કહ્યું કે, ભરૂચ બેઠક AAPને આપી તો અમે સમર્થન નહીં કરીએ. ભરૂચ બેઠક પર કોંગ્રેસ જ ચૂંટણી લડે તેવી ફૈઝલ પટેલની માગ છે. તેમણે કહ્યું કે, ભરૂચ બેઠક કોંગ્રેસ જીતી શકે તેવી સ્થિતિમાં છે. ઠબંધન થશે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ થશે. ચૈતર વસાવા ઉમેદવાર બનશે તો અમે પ્રચાર નહીં કરીએ.

ફૈઝલ પટેલે વધુમાં કહ્યું કે, ભાજપને હરાવવા ગઠબંધન જરૂરી છે. ભરૂચમાં કોંગ્રેસ લડે એ જ જરૂરી છે. ભરૂચમાં આપ કરતા કોંગ્રેસના જીતની શક્યતા વધારે છે. આજકાલમાં અંતિમ નિર્ણય જાહેર કરીશું. આ ઉપરાંત હાઈકમાન્ડનો નિર્ણય શિરોમાન્ય રાખીશું તેમ તેમણે કહ્યું. 

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાનું નિવેદન

આપ સાથેના ગઠબંધનથી ભરૂચ કોંગ્રેસ નારાજ હોવાની વાત ખુલીને સામે આવી છે. જિલ્લા પ્રમુખે કહ્યું કે, આપનું માત્ર ડેડિયાપાડામાં જ વર્ચસ્વ છે.  ગઠબંધનના નિર્ણય પર ફેરવિચારણા કરવા હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવશે. હાઇકમાન્ડને રજુઆત કરીએ છે, આ સીટ કોંગ્રેસની છે અને કોંગ્રેસનો જ ઉમેદવાર હોવો જોઈએ.  રાહુલ ગાંધીને ગાળો આપનાર કેજરીવાલની પાર્ટીને સપોર્ટ નહીં કરીએ. 

ભાવનગર બેઠક પણ કૉંગ્રેસ AAP માટે છોડે તેવી શક્યતા

ભાવનગર બેઠક પણ કૉંગ્રેસ AAP માટે છોડે તેવી શક્યતા પણ સેવાઇ રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુમતાઝ એહમદ પટેલના વિરોધ વચ્ચે પણ કૉંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. જો કે આ મુદે મુમતાઝ પટેલે પ્રતિક્રિયા આપવાથી ઈન્કાર કર્યો છે. આ મુદો દિલ્લીમાં યોજાયેલી બેઠકમાં ચર્ચાયા હોવાની ચર્ચા વચ્ચે બંને પક્ષના ગઠબંધનની શક્યતા લગભગ પ્રબળ જોવા મળી રહી છે. ટૂંકમાં ગુજરાતની બે બેઠક પર  ભાવનગર અને ભરૂચની બેઠક આપ માટે કોંગ્રેસ છોડવાની તૈયારી બતાવી છે.  જ્યારે અન્ય 24 બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ભાવનગર બેઠકથી AAP  પોતાના ઉમેદવાર ઉતારશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget