શોધખોળ કરો
ગુજરાતમાં આજે 917 લોકોએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગતે
આજે રાજ્યમાં 1034 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ 184 કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે રાજ્યમાં 1034 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ 184 કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 917 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 74.21 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 917 લોકો હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોતાને ઘરે પરત ફર્યા છે. જેમાં સૌથી વધુ દર્દીઓમાં સુરત કોર્પોરેશનમાં 201 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે 98 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે. સુરત કોર્પોરેશનમાં આજે 184 નવા કેસ નોંધાયા છે, જ્યારે 201 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સુરત જિલ્લામાં નવા 54 કેસ નોંધાયા છે, જ્યારે 86 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનમાં 95 નવા કેસ નોંધાયા છે, જ્યારે 39 દર્દીઓને રજા અપાઈ છે. ભાવનગર કોર્પોરેશનમાં આજે નવા 23 કેસ નોંધાયા છે, જ્યારે 26 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે.
વધુ વાંચો





















