શોધખોળ કરો

Election 2024 Live Updates: 'અમારી પાસે બે રૂપિયા નથી, ટિકિટ લેવી મુશ્કેલ', એકાઉન્ટ્સ ફ્રીઝ થવા પર સરકાર પર વરસ્યા રાહુલ ગાંધી

પોલીસે પણ સીસીટીવી ફૂટેજની તપાસ કરી બે યુવકને પોસ્ટ લગાવતા ઝડપ્યા હતા.

LIVE

Key Events
Election 2024 Live Updates: 'અમારી પાસે બે રૂપિયા નથી, ટિકિટ લેવી મુશ્કેલ', એકાઉન્ટ્સ ફ્રીઝ થવા પર સરકાર પર વરસ્યા રાહુલ ગાંધી

Background

વડોદરા શહેરમાં બુધવારે હરણી અને કારેલીબાગ વિસ્તારની સોસાયટીના ગેટ પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટ લાગ્યા હતા. રંજનબેનને ફરી ટિકિટ અપાતા જ ભાજપમાં વિરોધ શરૂ થયો હતો.  એવામાં હવે પોસ્ટર લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે બાદમાં તરત જ પોસ્ટર હટાવી લેવામાં આવ્યા હતા. પોલીસે પણ સીસીટીવી ફૂટેજની તપાસ કરી બે યુવકને પોસ્ટ લગાવતા ઝડપ્યા હતા.

તપાસમાં ખુલ્યું હતું કે પોસ્ટર લગાવનાર ભાજપનો કોઈ બળવાખોર નહીં. પરંતુ કૉંગ્રેસના જ યુવા નેતાઓ સામેલ છે. તરત પોલીસે વડોદરા યુથ કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરી ઓડની અટકાયત કરી હતી. હેરી ઓડની અટકાયત થતાં યુથ કૉંગ્રેસના કાર્યકરોની સાથે હેરી ઓડના પરિવારજનો પોલીસ મથકે દોડી આવ્યા અને હોબાળો મચાવ્યો હતો. તેમનો આરોપ હતો કે, હેરી ઓડને હેરાન કરવા માટે અટકાયત કરાઈ છે. તો મોડી સાંજના મંત્રી ધ્રુવીત વસાવા અને કાર્યકર ફાલ્ગુન સોરઠીયાની ધરપકડ કરવામાં આવી હતી.  જો કે હેરી ઓડ સહિત બે કાર્યકર્તાઓ ફાલ્ગુન સોરઠીયા અને ધ્રુવીત વસાવાનો છૂટકારો થયો હતો.

પોલીસ સ્ટેશનમાંથી છૂટ્યા બાદ હેરી ઓડે કહ્યું હતું કે જો યુવા તરીકે મને કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપશે તો હું રંજનબેન ભટ્ટ સામે લડીશ. આવનારા દિવસોમાં પણ પોસ્ટર લગાડવાના હશે તો પોસ્ટર લગાવવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે કોંગ્રેસના કાર્યકરોની સંડોવણી ખુલતા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યો કે હતાશ થયેલી કોંગ્રેસ આવા હથકંડા અપનાવી રહી છે. આ તરફ રંજનબેન ભટ્ટના પોસ્ટર્સ વિવાદમાં બે કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. વિપક્ષ નેતા અમી રાવત અને કોંગ્રેસના નેતાઓ વારસિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

બીજી તરફ વડોદરામાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ વિરુદ્ધ પોસ્ટર લગાવવાને લઈ કાર્યવાહી કરાઇ છે. અટલાદરા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી હતી. રાકેશ ઠાકોર, હર્ષદ સોલંકી અને નીતિન પઢીયારની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય શખ્સો અટલાદરા વિસ્તારના રહેવાસી છે.  પોસ્ટર લગાડનાર મુખ્ય સૂત્રધારની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

12:54 PM (IST)  •  21 Mar 2024

 ‘અમારા ખાતા એક મહિના પહેલા ફ્રીઝ કરવામાં આવ્યા હતા’

રાહુલે કહ્યું હતું કે  "દેશમાં દરેક વ્યક્તિ જાણે છે કે જ્યારે તેનું બેન્ક ખાતું, એટીએમ કાર્ડ અથવા તેની નાણાકીય ઓળખ ભૂંસી નાખવામાં આવે છે ત્યારે કેટલી મુશ્કેલી આવે છે. જો કોઈ પરિવાર સાથે આવું કરવામાં આવશે તો તે ભૂખે મરી જશે. કોઇ બિઝનેસ સાથે થાય તો તે બરબાદ થઇ જશે. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, "કોંગ્રેસ સાથે પણ આવું જ કરવામાં આવ્યું છે. અમે અમારા નેતાઓ અને કાર્યકરોને પૈસા આપી શકતા નથી કારણ કે અમારા ખાતા એક મહિના પહેલા ફ્રીઝ કરવામાં આવ્યા હતા."

12:54 PM (IST)  •  21 Mar 2024

રાહુલે દાવો કર્યો કે ભારતમાં લોકશાહી નથી

રાહુલે બંધારણીય સંસ્થાઓ પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું, "દેશમાં બંધારણીય સંસ્થાઓ અસ્તિત્વમાં છે. કોર્ટ, ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓએ આ બધું જોઈને પણ કંઈ કહ્યું નથી. ચૂંટણી પંચે પણ કંઈ કહ્યું નથી. આ છે. ગુનાહિત કૃત્ય." તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, "ભારતમાં લોકશાહી છે તે હકીકત તદ્દન ખોટી છે. ભારતમાં લોકશાહી નથી. વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાની વાત ખોટી છે કારણ કે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે."

12:54 PM (IST)  •  21 Mar 2024

2 રૂપિયા ચૂકવવા પણ મુશ્કેલ છેઃ રાહુલ ગાંધી

સરકાર પર ખાતાઓ ફ્રીઝ કરવાનો આરોપ લગાવતા કોંગ્રેસ નેતાએ કહ્યું, "અમારા નેતાઓ હવાઈ મુસાફરી કરી શકતા નથી. તેઓ ટ્રેનમાં પણ મુસાફરી કરી શકતા નથી. અમારા નેતાઓને એક શહેરમાંથી બીજા શહેરમાં મોકલવા અમારા માટે મુશ્કેલ છે." " તેમણે કહ્યું, "આજે અમે જાહેરખબરો કરી શકતા નથી. દેશના 20 ટકા લોકો અમને મત આપે છે, પરંતુ આજે અમે 2 રૂપિયા પણ કોઇને ચૂકવી શકતા નથી.

12:52 PM (IST)  •  21 Mar 2024

ભારતની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે (21 માર્ચ) કોગ્રેસ પાર્ટીના બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવા માટે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે દેશમાં લોકશાહી નથી. વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ હોવાની વાત ખોટી છે. ભારતની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ પાસે પોતાના નેતાઓને મદદ કરવા માટે 2 રૂપિયા પણ નથી. ટિકિટ ખરીદવા માટે પણ પૈસા નથી.

12:48 PM (IST)  •  21 Mar 2024

અમારી પાસે બે રૂપિયા પણ નથીઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે (21 માર્ચ) કોગ્રેસ પાર્ટીના બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવા માટે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે દેશમાં લોકશાહી નથી. વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ હોવાની વાત ખોટી છે. ભારતની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ પાસે પોતાના નેતાઓને મદદ કરવા માટે 2 રૂપિયા પણ નથી. ટિકિટ ખરીદવા માટે પણ પૈસા નથી.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget