શોધખોળ કરો
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ, જાણો ક્યારે વિદાય લેશે શિયાળો
હવામાન વિભાગના મતે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને સુરેંદ્રનગર સહિતના જિલ્લામાં માર્ચના પ્રારંભે તાપમાનનો પારો ઉંચકાશે.

પ્રતિકાત્મક તસવીર.
રાજ્યમાં હવે ધીમેધીમે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ધીમે-ધીમે ઉનાળાનું આગમન થઈ રહ્યું છે. હાલ તો રાજ્યમાં બેવડી સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ તો બપોર બાદ આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આ વચ્ચે જ હવામાન વિભાગે આગાહી કરી કે ફેબ્રુઆરીના અંતમાં શિયાળો વિદાય લેશે અને માર્ચ મહિનાની શરૂઆતમાં રાજ્યના કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગના મતે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને સુરેંદ્રનગર સહિતના જિલ્લામાં માર્ચના પ્રારંભે તાપમાનનો પારો ઉંચકાશે. હાલ તો આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સૂકું વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યકત કરી છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















