શોધખોળ કરો

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત

Navratri 2024: નવરાત્રિના સેલિબ્રેશનને લઇને મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાત્રે 12 વાગ્યા બાદ પણ ગરબ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે

Navratri 2024:નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. 3 ઓક્ટોબર ગુરૂવારથી શારદિય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે સરકારે ખેલૈયા, ગરબા આયોજકો અને ખાણી પીણીના વેપારીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ વર્ષ નિયમોના પાલન સાથે રાત્રે 12 વાગ્યા પછી પણ ગરબે રમી શકાશે. તેમણે કહ્યું કે, લાઉડ સ્પીકર બંધ કરીને 12 વાગ્યા બાદ પણ ગરબાનું આયોજન ચાલુ રાખી શકાશે. તેમણે કહ્યું કે, નિયમોનું પાલન કરો અને મોડે સુધી રમો ગરબા, આયોજકોએ સરકારના આ  નિર્ણયને આવકાર્યો છે. ખેલૈયાઓ-નાના વેપારીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર  છે. આ વર્ષે નિયમોના પાલન સાથે મોડે સુધી રમી ગરબે રમી શકાશે. રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ લાઉડ સ્પીકર બંધ કરીને મોડે સુધી  ગરબા ચાલુ રાખવાની આ વર્ષે છૂટ અપાઇ છે. તેથી આ વર્ષે મોડી રાત્રે સુધી ગરબાની રમઝટ બાદ લોકો નાઇટ લાઇફને માણતા ખાણી પીણીની મજા માણી શકશે. ખાણી પીણીના વેપારી, ગરબાનો આયોજકો અને ખેલૈયાઓએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

તો બીજી તરફ નવરાત્રને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યા અંબાજીથી માંડી ચોટીલના ચામુંડા અને કચ્છના માતાના મઢમાં વિશેષ સાધના અનુષ્ઠા હોમ હવનનું આયોજન થાય છે. આ અનુસંઘાને નવરાત્રિ દરમિયાન કચ્છના માતાના મઢ અને પાવાગઢના માંઇ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નવરાત્રિ દરમિયાન કચ્છની કુળદેવી  આશાપુરાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. અહીં પગયાત્રા કરીને પણ ભક્તો પહોંચે છે. આ અવસરે મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  નવરાત્રિ દરમિયાન માતાનામઢ મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શ્રીફળ લઈ જવા પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે. મઢમાં દર્શન માટે સવારે 5 થી રાત્રે 12 વાગ્યા સુંધીનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, આઠમના આખી રાત મંદિર ખુલ્લું રહેશે.

શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરના સમયમાં પણ નવરાત્રિને લઇને ફેરફાર કરવામાં આવ્યા છે. મંદિરના કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા  નવરાત્રિના નવા સમયની જાહેરાત કરવામાં આવી છે.  નવરાત્રિના નવ દિવસ અને પૂનમ સુધીના પંદર દિવસ માટે મંદિરના દ્વારા વહેલા ખોલવામાં આવશે. જેમાં આસો સુદ એકમથી પૂનમ સુધી મહાકાળી માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં પ્રથમ નોરતે, આઠમા નોરતે અને પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા માટે સમયમાં વધારો કરીને સવારે 4 વાગ્યે દ્વાર ખુલશે અને રાતના 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.  પ્રથમ નોરતે એટલે તા.૩ ઓક્ટોબર, 6 ઓક્ટોબર ત્રીજા નોરતે, 11 ઓક્ટોબર આઠમના રોજ, 13 ઓક્ટોબર દશમા નોરતે અને 17 ઓક્ટોબર પુનમના રોજ દર્શન સવારે 4 વાગ્યે ખુલી જશે અને રાત્રે 8 વાગ્યા સુધી માંઇ ભક્તો માના દર્શન કરી શકશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GSRTC Bus Fare: નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, ભાડામાં 3% વધારો, આજ મધ્યરાત્રિથી અમલ
GSRTC Bus Fare: નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, ભાડામાં 3% વધારો, આજ મધ્યરાત્રિથી અમલ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ

વિડિઓઝ

Ambalal Patel Prediction: આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat Police: દાહોદમાં આરોપી પર પોલીસનું સ્વ બચાવમાં ફાયરિંગ
Vikas Sahay Retirement: વિકાસ સહાયની પોલીસ વડા તરીકે નિવૃત્તિ નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Porbandar Unseasonal Rain: પોરબંદરમાં ભરશિયાળે માવઠું, એરપોર્ટ વિસ્તારમાં વરસ્યા ઝાપટા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSRTC Bus Fare: નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, ભાડામાં 3% વધારો, આજ મધ્યરાત્રિથી અમલ
GSRTC Bus Fare: નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, ભાડામાં 3% વધારો, આજ મધ્યરાત્રિથી અમલ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
ભારતને વધુ એક ઘાતક મિસાઈલ સિસ્ટમ આપશે મિત્ર દેશ રશિયા, S-350 નું નામ સાંભળીને પાકિસ્તાનના શ્વાસ અદ્ધર!
ભારતને વધુ એક ઘાતક મિસાઈલ સિસ્ટમ આપશે મિત્ર દેશ રશિયા, S-350 નું નામ સાંભળીને પાકિસ્તાનના શ્વાસ અદ્ધર!
બે પાવરફુલ મુસ્લિમ દેશો વચ્ચે જંગના એંધાણ ? યમનમાં એર સ્ટ્રાઈક બાદ મિત્રો બન્યા દુશ્મન, જાણો અંદરની વાત
બે પાવરફુલ મુસ્લિમ દેશો વચ્ચે જંગના એંધાણ ? યમનમાં એર સ્ટ્રાઈક બાદ મિત્રો બન્યા દુશ્મન, જાણો અંદરની વાત
ટેક્સી ડ્રાઈવરોની બલ્લે બલ્લે! Hyundaiએ લોન્ચ કરી 47 પૈસે KM ચાલતી 2 સસ્તી કાર, જાણો કિંમત
ટેક્સી ડ્રાઈવરોની બલ્લે બલ્લે! Hyundaiએ લોન્ચ કરી 47 પૈસે KM ચાલતી 2 સસ્તી કાર, જાણો કિંમત
Pralay Missile: DRDO ની મોટી ઉપલબ્ધિ, પ્રલય મિસાઈલનું સફળ પ્રક્ષેપણ, VIDEO 
Pralay Missile: DRDO ની મોટી ઉપલબ્ધિ, પ્રલય મિસાઈલનું સફળ પ્રક્ષેપણ, VIDEO 
Embed widget