શોધખોળ કરો

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત

Navratri 2024: નવરાત્રિના સેલિબ્રેશનને લઇને મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાત્રે 12 વાગ્યા બાદ પણ ગરબ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે

Navratri 2024:નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. 3 ઓક્ટોબર ગુરૂવારથી શારદિય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે સરકારે ખેલૈયા, ગરબા આયોજકો અને ખાણી પીણીના વેપારીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ વર્ષ નિયમોના પાલન સાથે રાત્રે 12 વાગ્યા પછી પણ ગરબે રમી શકાશે. તેમણે કહ્યું કે, લાઉડ સ્પીકર બંધ કરીને 12 વાગ્યા બાદ પણ ગરબાનું આયોજન ચાલુ રાખી શકાશે. તેમણે કહ્યું કે, નિયમોનું પાલન કરો અને મોડે સુધી રમો ગરબા, આયોજકોએ સરકારના આ  નિર્ણયને આવકાર્યો છે. ખેલૈયાઓ-નાના વેપારીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર  છે. આ વર્ષે નિયમોના પાલન સાથે મોડે સુધી રમી ગરબે રમી શકાશે. રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ લાઉડ સ્પીકર બંધ કરીને મોડે સુધી  ગરબા ચાલુ રાખવાની આ વર્ષે છૂટ અપાઇ છે. તેથી આ વર્ષે મોડી રાત્રે સુધી ગરબાની રમઝટ બાદ લોકો નાઇટ લાઇફને માણતા ખાણી પીણીની મજા માણી શકશે. ખાણી પીણીના વેપારી, ગરબાનો આયોજકો અને ખેલૈયાઓએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

તો બીજી તરફ નવરાત્રને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યા અંબાજીથી માંડી ચોટીલના ચામુંડા અને કચ્છના માતાના મઢમાં વિશેષ સાધના અનુષ્ઠા હોમ હવનનું આયોજન થાય છે. આ અનુસંઘાને નવરાત્રિ દરમિયાન કચ્છના માતાના મઢ અને પાવાગઢના માંઇ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નવરાત્રિ દરમિયાન કચ્છની કુળદેવી  આશાપુરાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. અહીં પગયાત્રા કરીને પણ ભક્તો પહોંચે છે. આ અવસરે મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  નવરાત્રિ દરમિયાન માતાનામઢ મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શ્રીફળ લઈ જવા પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે. મઢમાં દર્શન માટે સવારે 5 થી રાત્રે 12 વાગ્યા સુંધીનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, આઠમના આખી રાત મંદિર ખુલ્લું રહેશે.

શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરના સમયમાં પણ નવરાત્રિને લઇને ફેરફાર કરવામાં આવ્યા છે. મંદિરના કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા  નવરાત્રિના નવા સમયની જાહેરાત કરવામાં આવી છે.  નવરાત્રિના નવ દિવસ અને પૂનમ સુધીના પંદર દિવસ માટે મંદિરના દ્વારા વહેલા ખોલવામાં આવશે. જેમાં આસો સુદ એકમથી પૂનમ સુધી મહાકાળી માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં પ્રથમ નોરતે, આઠમા નોરતે અને પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા માટે સમયમાં વધારો કરીને સવારે 4 વાગ્યે દ્વાર ખુલશે અને રાતના 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.  પ્રથમ નોરતે એટલે તા.૩ ઓક્ટોબર, 6 ઓક્ટોબર ત્રીજા નોરતે, 11 ઓક્ટોબર આઠમના રોજ, 13 ઓક્ટોબર દશમા નોરતે અને 17 ઓક્ટોબર પુનમના રોજ દર્શન સવારે 4 વાગ્યે ખુલી જશે અને રાત્રે 8 વાગ્યા સુધી માંઇ ભક્તો માના દર્શન કરી શકશે.

  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ
Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ
Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Navsari News : વાંસદાના સરા ગામમાં નિવૃતિ સન્માન સમારોહની આડમાં ધર્માંતરણની પ્રવૃતિ? જાણો શું છે મામલો
Navsari News : વાંસદાના સરા ગામમાં નિવૃતિ સન્માન સમારોહની આડમાં ધર્માંતરણની પ્રવૃતિ? જાણો શું છે મામલો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા? ઉડી ગયું? કે ચોરી થયું?
Hun To Bolish | હું તો બોલીશ | પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીઓની બેઠક
Hun To Bolish | હું તો બોલીશ | અસલી આદિવાસી કોણ?
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન
Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન
પેટ્રોલ-ડીઝલ સરકારે કરી દીધું સસ્તું, ઘટાડી એક્સાઈઝ ડ્યૂટી, જાણો પ્રતિ લીટર કેટલી ઘટશે કિંમત
પેટ્રોલ-ડીઝલ સરકારે કરી દીધું સસ્તું, ઘટાડી એક્સાઈઝ ડ્યૂટી, જાણો પ્રતિ લીટર કેટલી ઘટશે કિંમત
Iran War : મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે સરકાર એક્શનમાં, તાબડતોબ લીધા 5 મોટા નિર્ણય
Iran War : મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે સરકાર એક્શનમાં, તાબડતોબ લીધા 5 મોટા નિર્ણય
Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ
Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ
Iran-US War: યુદ્ધ વિરામના સકારાત્મક સંકેત, એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર 10 દિવસ હુમલો નહિ કરે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત
Iran-US War: યુદ્ધ વિરામના સકારાત્મક સંકેત, એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર 10 દિવસ હુમલો નહિ કરે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત
COVID Cases: અમેરિકામાં અચાનક વધવા લાગ્યા કોરોનાના કેસ, જાણો ભારત માટે કેટલો ખતરો?
COVID Cases: અમેરિકામાં અચાનક વધવા લાગ્યા કોરોનાના કેસ, જાણો ભારત માટે કેટલો ખતરો?
West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'
West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'
કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું એલર્ટ, કાલે અનેક રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે 
કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું એલર્ટ, કાલે અનેક રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે 
Embed widget