શોધખોળ કરો

ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણ: ભાજપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા, શપથવિધિમાં અમિત શાહ અને જે. પી. નડ્ડા રહેશે હાજર

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આવતીકાલે ગાંધીનગર આવશે; ગુરુવારે સુનિલ બંસલની અધ્યક્ષતામાં ભાજપના ધારાસભ્યોની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે.

Gujarat Cabinet Expansion: ગુજરાતમાં મંત્રીમંડળના સંભવિત વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખશે. આ વિસ્તરણની પ્રક્રિયાને અંતિમ ઓપ આપવા અને નવા મંત્રીઓને શપથ લેવડાવવા માટે કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત આવી રહ્યું છે.

સૌપ્રથમ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આવતીકાલે ગુરુવારે ગાંધીનગર આવશે. તેઓ ગાંધીનગર વિધાનસભા ખાતે ભાજપના ધારાસભ્યો સાથે મહત્ત્વની બેઠક યોજશે, જે વિસ્તરણ પહેલાનું અંતિમ માર્ગદર્શન સત્ર હોઈ શકે છે.

ઉપરાંત, મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને દિગ્ગજ નેતાઓ શપથવિધિ માટે શુક્રવારે સવારે ગાંધીનગર આવશે. રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિ અને ધારાસભ્યોની બેઠકોનો ધમધમાટ સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાતમાં ટૂંક સમયમાં જ મંત્રીમંડળમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ ઝડપી બની છે, અને રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે, ઑક્ટોબર 17, 2025 ના રોજ થવાની એક્સક્લૂઝિવ માહિતી મળી છે. નવા મંત્રીઓ શુક્રવારે બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં શપથ લે તેવી શક્યતા છે, જેના માટે રાજભવન અથવા મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ યોજાશે. હાલમાં રાજભવનના બેન્ક્વેટ હોલની સાફસફાઈ પણ શરૂ કરી દેવાઈ છે. મુખ્યમંત્રી આવતીકાલે રાજ્યપાલને મળીને શપથવિધિ માટેનો સમય માંગશે, જેના પગલે રાજ્યપાલનો શુક્રવારનો મુંબઈનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. મંત્રીપદ માટે લેઉવા પાટીદાર, કડવા પાટીદાર અને આહીર સમાજમાંથી નામો ચર્ચામાં છે, જેમાં અમરેલીથી મહેશ કસવાલા/કૌશિક વેકરિયા, ભાવનગરથી જીતુ વાઘાણી અને આહીર સમાજમાંથી ઉદય કાનગડ/ત્રિકમ છાંગા જેવા નામો પર અંતિમ નિર્ણય લેવાઈ રહ્યો છે.

શપથવિધિની તૈયારીઓ પૂરજોશમાં: વિજય મુહૂર્તનો સમય નક્કી

રાજ્યમાં લાંબા સમયથી પ્રતીક્ષિત મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે. abp અસ્મિતા પાસેની એક્સક્લૂઝિવ માહિતી મુજબ, શુક્રવાર ના રોજ નવા મંત્રીઓ શપથ લેશે. શપથગ્રહણ સમારોહ શુક્રવારે બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં યોજાય તેવી સંભાવના છે. સમારોહનું આયોજન રાજભવન અથવા મહાત્મા મંદિરમાં થઈ શકે છે. રાજભવનમાં આવેલા બેન્ક્વેટ હોલની સાફસફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે. વિસ્તરણની ઔપચારિકતા પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી આવતીકાલે (બુધવારે, ઑક્ટોબર 15, 2025) રાજ્યપાલને મળીને શપથગ્રહણ માટેનો સમય માંગશે. ઉલ્લેખનીય છે કે આ શપથવિધિની તૈયારીના ભાગરૂપે રાજ્યપાલનો શુક્રવારનો મુંબઈનો કાર્યક્રમ પણ રદ કરી દેવાયો છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે હવે વિસ્તરણ નિશ્ચિત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget