શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona Cases Update: રાજ્યમાં નવા 1185 કેસ નોંધાયા, 11ના મોત, કુલ સંક્રમિતની સંખ્યા 156283
રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3609 પર પહોંચ્યો છે.
![Gujarat Corona Cases Update: રાજ્યમાં નવા 1185 કેસ નોંધાયા, 11ના મોત, કુલ સંક્રમિતની સંખ્યા 156283 Gujarat corona cases 15 october 2020 1185 new covid 19 cases registered in gujarat Gujarat Corona Cases Update: રાજ્યમાં નવા 1185 કેસ નોંધાયા, 11ના મોત, કુલ સંક્રમિતની સંખ્યા 156283](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/14185728/corona-update.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે 1185 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3609 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,804 એક્ટિવ કેસ છે, જ્યારે 1,37,870 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,718 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,56,283 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, ગાંધીનગરમાં 1, મહીસાગરમાં 1, પાટણમાં 1, તાપીમાં 1 અને વડોદરા કોર્પોરેશમાં 1 મળી કુલ 11 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 176, અમદાવાદ કોર્પોરેશનમાં 168, વડોદરા કોર્પોરેશનમાં 77, રાજકોટ કોર્પોરેશનમાં 75, સુરતમાં 73, જામનગર કોર્પોરેશનમાં 59, વડોદરામાં 42, રાજકોટ 34, મહેસાણામાં 33, કચ્છ 31, ભરૂચ 28, અમરેલીમાં 24, ગાંધીનગર કોર્પોરેશનમાં 24, જામનગરમાં 23, પંચમહાલ 23, પાટણ 23, બનાસકાંઠા 22, જુનાગઢ 20 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1329 દર્દી સાજા થયા હતા અને 51,215 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 52,16,885 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.22 ટકા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)