શોધખોળ કરો
Gujarat Corona Cases Update: છેલ્લા 24 કલાકમાં 234 નવા કેસ નોંધાયા, 353 દર્દીએ કોરોનાને આપી મ્હાત
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 234 નવા કેસ નોંધાયા હતા જ્યારે કોરોના સંક્રમણથી 1નું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.56 ટકા પર પહોંચ્યો છે.

પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કેસમાં દિવસે દિવસે સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 234 નવા કેસ નોંધાયા હતા જ્યારે કોરોના સંક્રમણથી 1નું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.56 ટકા પર પહોંચ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 353 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,57,473 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 2040 એક્ટિવ કેસ છે, જેમાંથી 24 લોકો વેન્ટિલેટર પર અને 2016 લોકો સ્ટેબલ છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું હતું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4397 પર પહોંચ્યો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશનમાં 60, અમદાવાદ કોર્પોરેશનમાં 43, રાજકોટ કોર્પોરેશનમાં 29 , સુરત કોર્પોરેશનમાં 29, વડોદરામાં 10, આણંદ 7, સુરત 7, ગાંધીનગર કોર્પોરેશન 5, રાજકોટ 5, નર્મદા 4 અને ગાંધીનગરમાં 3 કેસ નોંધાયા હતા.
અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી
ગુજરાતમાં અત્યાર સુધી 6,60,516 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 56,332 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
