શોધખોળ કરો
Coronavirus:રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 24 હજારથી વધુ લોકોએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 93.69 ટકા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 990 કેસ નોંધાયા

ફાઈલ ફોટો
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2 લાખ 39 હજારને પાર પહોંચી છે. જેમાંથી અત્યાર સુધી કોરોનાના કારણે 4262 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે 2 લાખ 24 હજારથી વધુ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કુલ 1181 દર્દી સાજા થયા હતા. તેની સાથે અત્યાર સુધી કુલ 2,24,092 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.69 ટકા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 990 કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 8 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં હાલ 10841 એક્ટિવ કેસ છે અને 10775 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 92,93,521 ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 55,698 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
વધુ વાંચો





















